________________
૩૨૭ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1514 સ્વાર્થ અને પ્રપંચ તો હવે ઉઘાડાં પડી ગયેલાં છે. અમને જૈન સાધુઓને એ બધી વાત સાથે કોઈ નિસબત નથી. નમુચી ગાદીએ બેઠો ત્યારે બધા આશીર્વાદ દેવા ગયા, પણ જૈન સાધુઓ નથી ગયા. નમુચીને રોષ આવ્યો તો ભલે આવ્યો પણ જૈન સાધુને એ રાજગાદી સાથે નિસબત હોય તો જાય ને ? આપણે કોઈને ખાદીની ના પાડી નથી પણ એ નામદારો ખાદી કેવી અને ક્યાં પહેરે છે તે વાતમાં ઊંડા ઊતરવામાં સાર નથી. જ્યાં જેવો રંગ તેને અનુરૂપ વેષ પહેરવાના દેખાવ એ લોકો સારી રીતે કરી શકે છે. ' ' . જૈન સાધુ અને સ્વરાજઃ
જૈન સાધુ તો સંયમ સ્વીકાર્યું ત્યારથી સ્વરાજ પામેલા જ છે. દીક્ષા લે ત્યારથી ખુલ્લા પગે ચાલે છે. વાહનની એમને પરવા નથી, હજામની એમને જરૂર નથી, ધોબીનો એમને ખપ નથી, દુન્યવી કોઈ ચીજની સ્પૃહા નથી, સઘળી ગુલામીથી એ મુક્ત બન્યા છે. આવું સ્વરાજ પોતે પામેલા છે અને દુનિયામાં ઠેર ઠેર ફરીને લોકોને આવું સ્વરાજ આપવાનો એ પ્રયત્ન કરે છે. આ બધું બોલવાની આપણને જરૂર ન હતી. પણ આ નામદારોએ બોલવાની ફરજ પાડી છે. બુદ્ધિ હોય તો સામે આવીને પ્રામાણિક વિરોધ કરે તો વાંધો નહિ પણ સિદ્ધાંતની વાતમાં સીધી રીતે ફાવટ ન આવી માટે આવા ઉપાયો યોજે તેમાં તેમની કાંઈ લાયકાત ન કહેવાય. જે વખતે જે ઘોંઘાટ ચાલતો હોય તેના ઓઠા નીચે ધર્મ સામે વિપ્લવ જગાડવાની એ લોકોની મનોવૃત્તિ સારી નથી. વિધાનો દુરુપયોગઃ
આ યુવક સંઘના સેક્રેટરીઓ ભણેલાગણેલા ડિગ્રીધારીઓ છે. પણ દુર્ભાવના જાગે ત્યારે વિદ્યાનો દુરુપયોગ કરવાનું મન થાય છે. ખોટું લખતાં કે બોલતાં એ અચકાતા નથી, યેનકેન પ્રકારે દેવ, ગુરુ, ધર્મને હલકા પાડવાના એ પ્રયત્નો કરે છે. શાસ્ત્ર વિરુદ્ધ બોલવા-ચાલવાનો એમને શોખ જાગ્યો છે. દુન્યવી કામનાઓ સિદ્ધ કરવામાં નડતરરૂપ હોવાથી દેવ, ગુરુ, ધર્મની નિંદા કરતાં તેઓ અચકાતા નથી અને એમના માટે ગમે તેવી બનાવટી વાતો ઊભી કરવામાં પાછી પાની કરતા નથી. આવા વિષયાંધોને જ્ઞાનીઓએ જન્માંધા કરતાં પણ ભૂંડા કહ્યા છે. જન્માંધ તો સારા કે જે હોય તે ન જોઈ શકે પણ વિષયાંધ તો એવા છે કે જે ન હોય તે જુએ. આવી બનાવટી વાતો કરનારાને તો દુનિયા પણ ઓળખી લે છે. આવું કરવાથી એમની પ્રતિષ્ઠા ઘટે છે ને ડિગ્રીઓ લાજે છે.