________________
1513
– ૨૧ : સંતોષી નર સદા સુખી - 101 – ૩૨૫ બરાબર છે, પરંતુ ત્યારે પણ એ સિવાયની બીજી વાત આપણે કરતા નથી. વિરોધીઓ સમૂજી ગયા છે કે આ તો એવી કિલ્લેબંધી કરીને બેઠા છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાયની કોઈ ચોથી વાતમાં તો પડતા જ નથી. એટલે હવે એક નવો દાવ એમણે ફેંક્યો. એક નવી વિચિત્ર વાત ઉપજાવી કાઢી અને યુવકસંઘની પત્રિકામાં લખ્યું કે –
ગાંધી મીઠું ચોરવા જાય છે માટે એને પૈસા આપવામાં તથા મદદ કરવામાં પાપ છે.” આવું રામવિજયજી કહે છે તથા જેને તેને ખાદી ન પહેરવાના નિયમ આપે છે. - એ વાત બનાવટી અને ઉપજાવી કાઢેલી છે? .
આપણે આજ દિવસમાં આવી કોઈ વાત કરી નથી. કેવળ બનાવટી વાત ઉપજાવી કાઢી છે; પરંતુ વાત ઉપજાવતાં પણ આવડી નથી. ગાંધી પોતે ખુલ્લું આહ્વાન કરીને જાય છે, પોતાને કેમ પકડતા નથી એવો પડકાર કરીને અને દાંડી પીટીને જાય છે, “એંશી જણ સાથે જાય છે ને નથી પકડી શકતા તો એંશી હજાર જશે તેને કેમ પકડશે !' એમ કહીને ખુલ્લી રીતે જનારને કોઈ સામાન્ય બુદ્ધિવાળો પણ ચોર કહે ખરો ? એ શું કાંઈ કોઈનો માલ બથાવી પાડવા જાય છે ? આ પત્રિકાના લખનારા ભણેલા બુદ્ધિશાળી છે કે અભણ ગમાર છે તે સમજાતું નથી. આવું લખનારમાં અક્કલ કેટલી માનવી ? અહીં આવનારા નવા માણસો આવી ખોટી અને બનાવટી વાતોમાં જ આવી જાય માટે આ ખુલાસો કરાય છે. કેવળ ધર્મ અને ધર્મીઓ પ્રત્યેના ઈષ્યભાવથી એ મલિન બુદ્ધિવાળાઓ આવી બનાવટી વાતો ઊભી કરે છે. વ્યાખ્યાન બંધ કરાવવા ઠેઠ સુધી પહોંચ્યા હતા પણ એમાં ફાવ્યા નહિ. સત્તાધીશોએ કહ્યું કે, “વ્યાખ્યાન બંધ કઈ રીતે કરાવાય ?' સ્વતંત્રતાની વાતો કરનારા બીજાની સ્વતંત્રતાને રૂંધવા કેવા કૂટ પ્રયત્નો કરે છે તે જુઓ. દેશપ્રેમની વાતો કરી પણ તે માટે તેમણે છોડ્યું શું?
તેઓ જેમને પોતાના મહાન નેતા ગણે છે અને જેમની આટલી મહત્તા ગાય છે તેમના કહેવા મુજબ પોતાની વકીલાત છોડી ? આ યુવક સંઘના મુખપત્રના તંત્રીઓ, વકીલો, ધારાશાસ્ત્રીઓ અને ડૉક્ટરો છે. તેઓ વાતો ગમે તેટલી કરે, દેશપ્રેમનાં ભાષણો અને લેખો લખે પણ તે માટે કશું છોડવા તૈયાર નથી. એવો અવસર આવ્યો ત્યારે એ બધા ક્યાં સૂઈ ગયા હતા ? ૧૯૨૦૨૧ની સાલમાં પણ નથી છોડ્યું અને અત્યારે પણ નથી છોડવાના. એમના