SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ . 1512 ૩૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ હવે અમે શું કરીએ ? તમને અહીંથી કાઢી મૂકીએ ? ચક્રવર્તીઓ સામ્રાજ્ય છોડીને સાધુ થયા, રાજ્યને ખરાબ કહ્યું. પણ પછી રાજ્ય કરનારાઓની બોચી પકડવા ગયા ? ના, એ ન જે જાય. બધાને દુઃખથી મુકાવી મુક્તિમાં મોકલવાની શ્રી જિનેશ્વરદેવોને ભાવના હતી. છતાં ઊંચકીને કોઈને લઈ ગયા ? શી રીતે લઈ જાય ? એ તો મુક્તિનો માર્ગ બતાવે પછી જેને જવું હોય તે જાય. બાકી જો ઊંચકીને લઈ જવાતા હોત તો એકને પણ બાકી ન રાખત. “અહિંસા પરમો ધર્મ:' એ સિદ્ધાંતનું અણીશુદ્ધ પાલન કરવાથી મુક્તિ મળે એમ ભગવાને કહ્યું. ગણધર દેવો, પૂર્વધરો અને મહાપુરુષો એ સિદ્ધાંત તરફ આપણને ખેંચે અને ખેંચાઈને એ નિયમ જે પાળે તેને મુક્તિ મળે. આમ છતાં કોઈ પાપાત્મા કહે કે, હું તો હિંસા કરવાનો જ, તો કોઈ એને મારવા ગયું ?' વિરોધ છતાં અથડામણ નહિ? અમુક દૃષ્ટિએ જોવા જઈએ તો વિરોધ ગણાય. પણ તેથી અથડામણ કરવાનું કોઈ કારણ નથી. સંયમનો માર્ગ દર્શાવવો એમાં આવા વિરોધની આવશ્યકતા નથી. શ્રી જિનેશ્વરદેવના પ્રવચનને પામેલો, પ્રભુમાર્ગનો જાણકાર કશું એવું વાહિયાત ન બોલે કે જે એને ચાર જણ વચ્ચે પુરવાર કરવું પણ ભારે પડે. વિરોધીઓ સીધો હલ્લો કરવામાં ન ફાવ્યા ત્યારે હવે શું કરે ? બનાવટી વાતો ઊભી કરે. ન હોય તેવી વાતો ઉપજાવે. આ લોકોએ પણ એવો દાવ શોધ્યો છે. અત્યારની રાજકીય ચળવળથી તમે બધા વાકેફ છો. કોઈ છૂપી વાત નથી. રોજ છાપામાં તમે અમે વાંચીએ છીએ. સ્વરાજ મેળવવાની આ હિલચાલ ચોમેર પ્રસરેલી છે. અનેક મરવા તૈયાર થયેલા એમાં જોડાયા છે. કોઈ હૃદયથી તો કોઈ ઉપર ઉપરથી, તેની વિગતમાં આપણે ઊતરવા માંગતા નથી. દર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાય ચોથી વાતમાં પડતા નથીઃ હું તો રોજ કહું છું કે દુન્યવી પ્રવૃત્તિઓ સાથે અમારે લાગતુંવળગતું નથી. અમે આ સંસારને અને સંસારનાં રાજ ઋદ્ધિ સિદ્ધિ સાહ્યબી તમામને ખોટી માનીએ છીએ; માત્ર મોક્ષને જ સાચો માનીએ છીએ. શ્રી જિનેશ્વરદેવે એ જ કહ્યું છે, અમે એ જ માનીએ છીએ અને જે અહીં આવે તેમને એ જ સંભળાવીએ છીએ. દર્શન, જ્ઞાન, ચારિત્ર સિવાય ચોથી વાત આપણે અહીં કરતા નથી. એનું જ મંડન કરીએ છીએ. એ મંડન કરતાં એનાથી વિરુદ્ધ વાતનું સામાન્ય ખંડન થાય છે તે જુદી વાત છે. પરંતુ તે સિવાય ખાસ કોઈ બીજી વાતમાં આપણે પડતા નથી. એ રત્નત્રયીનો ખાસ કોઈ વિરોધ કરે ત્યારે એનો બચાવ કરીએ કે એ વિરોધનું ખંડન કરવું પડે તો કરીએ એ વાત
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy