________________
૩૨૨
-
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1510 ફેરફાર થાય તો ન ભાવે. સ્વાદ લાગવો તે ખાવાની વસ્તુ તેમજ રસના ઇંદ્રિયને આભારી છે. વસ્તુ સારી ન હોય અથવા જીભમાં રોગ હોય તો સ્વાદ ન આવે. એ સુખ પરાધીન છે. પાંચ ઇંદ્રિયોના શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ એ તમામ સુખ પરાધીન છે. ગાનતાનનો રસિયો હોય, ગાનતાન મજેથી ચાલતાં હોય પણ એમાં જો માથું ચડે કે પેટમાં શૂળ ઊપડે તો તરત ગાનતાન બંધ કરવાનું કહે; પછી એ અવાજ એનાથી ન ખમાય. પરાધીન વસ્તુમાંથી સુખ મેળવવું એ આત્માની સત્તાની વાત નથી પણ સત્તા બહારની વાત છે. ઇંદ્રિયોના વિષયોમાં સુખની કલ્પના તે મૂઢતા છે: '
જ્ઞાનીઓ કહે છે કે દુનિયાનાં મનગમતાં બધાં સુખ આજ સુધી કોઈએ મેળવ્યાં નથી અને મેળવશે નહિ. આત્માનું સુખ તો અનંતા આત્માઓએ મેળવ્યું છે, મેળવે છે અને મેળવશે. ખાતાં મૂકવી ન ગમે એવી સ્વાદિષ્ટ-ચીજ પણ ભાણે બેઠેલો માણસ ખાય ક્યાં સુધી ? પુદ્ગલના વિષયો પરિમિત, ઇંદ્રિયના વિષયો પરિમિત, ભોગવટો પરિમિત, દુનિયાની ચીજો પરિમિત અને ઇચ્છાઓ અપરિમિત. ઇચ્છાનો અંત નથી. દુનિયાના વિષયોનું કોઈ પણ સુખ આત્માને સ્વાધીન નથી પણ પરાધીન છે. પરાધીનતામાં સુખની કલ્પના કરવી તે ઝાંઝવાનાં જળ પાછળ અટવાઈ મરવા જેવું છે. ભાણે બેઠેલો મનભાવતી વસ્તુ ગળા સુધી ઠાંસીને ખાય પણ પછી શું ? પેટ ચડે, તૃષા વધે, ગળું સુકાય અને પાણીની જગ્યા ન હોય ત્યારે કઈ હાલત ? લેવાના દેવા થાય. પેટમાં પીડા ઊપડે ને ડૉક્ટરને બોલાવવા દોડાદોડ થાય. દુનિયાના પદાર્થોનું, ઇંદ્રિયોના વિષયોનું તમામ સુખ પરાધીન છે. એમાં સુખની કલ્પના તે મૂઢતા છે.
સભાઃ “પણ ખાવામાં માપ રાખે તો ?'
તો તો સંતોષ આવ્યો ને ? ત્યાં તો આ શાસ્ત્રની વાત જ આવી. ઈચ્છા ઉપર અંકુશ આવીને ઊભો રહ્યો. પછી વાંધો ન રહ્યો. ખાવા બેસે ત્યાં પરિમિત ખાય કોણ ? સંતોષી હોય તે. જમણમાં કેટલાક માણસો મિષ્ટાન્ન ન ખાય પણ ગરમા-ગરમ ભજિયાં અને મસાલાદાર વાલ પેટ ભરીને ખાય તે શાથી ? સ્વાદને વશ થઈને. જાણે છે કે એકલું કઠોળ ખાવાથી ઝાડા થાય. પણ સ્વાદમાં લુબ્ધ બનીને ખાય. પરાધીન વસ્તુમાંથી કોઈ આત્મા ઇચ્છા મુજબ સુખ ન મેળવી શકે. સંતોષી જ સિદ્ધિસુખનો પણ અનુભવ કરી શકે. પૌદ્ગલિક ઇચ્છાના કાપમાં બધું આવી જાય. શ્રી જિનેશ્વરદેવને શાસનની ખૂબી એ છે કે એક વાત લીધી એટલે તેમાં બીજી અનેક વાતો આવી જ જાય. ઘણાથી આ નથી ખમાતું. તેઓ મૂંઝાય છે એટલે વાતમાં અટકાયત લાવવા બનતી કોશિશ કરે