________________
1500
- ૨૧ : સંતોષી નર સદા સુખી - 101 - ૩૨૧ ગાંડો રાજા ડાહ્યો બન્યોઃ
એક રાજાએ કોઈ રૂપાળી રમણીને પકડી લાવી પોતાની રાણી બનાવી હતી અને એ રાણીના પ્રેમની પાછળ રાજા પાગલ બન્યો હતો. કર્મસંયોગે રાણીને રોગ થયો ને મરી ગઈ. પાગલ રાજા રાણીના મૃતદેહને કાઢવા દેતો નથી. મંત્રીઓએ લાગ જોઈ રાણીના શબને ફેંકાવી દીધું. બે-ત્રણ દિવસ પછી રાણીને શોધી કાઢવાના બહાને મંત્રીઓ રાજાને એ વનમાં લઈ ગયા. દરમ્યાન વનનાં પશુપંખીઓએ રાણીના મૃતદેહને વિકૃત કરી મૂકયો હતો. એ જોઈને ગાંડો રાજા ડાહ્યો બન્યો અને વિચારવા લાગ્યો કે જે શરીરની પાછળ હું પાગલ બન્યો હતો તે શરીરનું સ્વરૂપ આ ? તરત મુગટ ઉતારી રાજ્ય છોડી સંયમ લઈને ચાલી નીકળે છે. જેમ માણસ મોટો તેમ એની તકલીફો મોટી
લાલસાના કારણે સ્ત્રી પુરુષની સેવા કરે છે, લાલસાના કારણે પુરુષ સ્ત્રીને એની તમામ સામગ્રી પૂરી પાડે છે, લાલસાના કારણે પિતા પુત્રનું લાલનપાલન કરે છે, લાલસાના કારણે પુત્ર પણ પિતાની સેવા કરે છે અને એ લાલસાના કારણે જ અસંતોષનું. દુઃખ દુઃખ તરીકે દેખાતું નથી. રાજા, શહેનશાહ કે ચક્રવર્તીને બોજો ઓછો નથી હોતો. પણ “હું રાજા', “હું શહેનશાહ”, “હું ચક્રવર્તી”, એવી “હું” પદની ભાવનાએ એ જીવે છે અને તેથી બોજો લાગતો નથી. મોટા વેપારીને શાખ સાચવવાની ચિંતા ઓછી નથી, ચોમેર ચિંતાની સગડી સળગતી હોય છે. પણ ચાર જણ સલામ ભરે, એ સલામ એને બધું દુ:ખ ભુલાવૈ છે. જો ક્ષણભર પણ વિચાર કરે તો એક ક્ષણ પણ બંગલામાં એ ન રહે, એ નિશ્ચિતપણે જીવી ન શકે. જેમ માણસ મોટો તેમ એની તકલીફો મોટી. પરંતુ “હું” અને “મારું” એ ભાવનામાં તકલીફો એને જણાતી નથી. તમે એકાંતમાં બેસી થોડો પણ વિચાર કરો તો અસંતોષનું દુઃખ અને સંતોષનું સુખ સ્પષ્ટ સમજાય તેવું છે. ચિત્ર પણ યથાર્થ રીતે જોવું હોય તો તેનો કળાકાર જે દિશામાં જે ખૂણેથી જોવાનું કહે તે રીતે જોવું જોઈએ. શાસ્ત્રકારો પણ આ બધી વાતો સમજવા માટે તમને તેમના જેવા વિચારના બનવાનું કહે છે. મહાપુરુષોએ પ્રાણાંત કષ્ટ સહ્યાં ક્યારે ? ભવિષ્યના સુખ માટે વર્તમાનનાં દુઃખ સહાય ક્યારે ? અસંતોષનું દુઃખ અને સંતોષનું સુખ સમજાય ત્યારે. દુનિયાનાં તમામ સુખ પરાધીન છે?
જ્ઞાની કહે છે કે સંતોષનું સુખ સ્વાધીન છે, જ્યારે દુનિયાનાં તમામ સુખ પરાધીન છે. ખાવાનું પણ પીરસનારી મનગમતી વસ્તુ પીરસે તો ભાવે,