________________
૩૨૦
1503
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ તમામ વસ્તુઓને ભૂલી ગયા ત્યારે ને ? આજે તો અમુક રોગ કાઢવા અમુક પાપ કરવું પડે તો તે વખતે મક્કમ રહીને નહિ કરનારા કેટલા? કોઈક જ સાચી શ્રદ્ધા વિના આપત્તિમાં આવું સહોતું નથી. જ્ઞાનીએ કહ્યું તેમાં એકાંત હિતની અવિચલ શ્રદ્ધા જોઈએ. આજે તો ઇરાદાપૂર્વક દુઃખના દાવાનલમાં ફેંકવાનું અને ફેંકાવાનું ચાલુ છે. આપત્તિ વખતે પરલોકની વાતો મીઠી નથી લાગતી. આજે તમને પરલોક ભુલાવવો કે નિયમથી ખસેડવા એ સહેલું છે. ધર્મક્રિયા જરૂરી એમ સૌ કોઈ કહે, પણ પાછું કહે કે, “પણ એ અવસરે હોય, કાંઈ આંખો દહાડો ન હોય; બધું જોવું જોઈએ.” શ્રદ્ધા વિના શાસ્ત્રની વાતો કડવી લાગેઃ
. ચાણક્ય પ્રત્યે ચંદ્રગુપ્તને શ્રદ્ધા થાય કેમ કે એમાં લાભ પ્રત્યક્ષ છે; અને અહીં તો મળેલું મૂકવાનું છે અને પરોક્ષની આશા પર નિર્ભર રહેવાનું છે. અખંડ શ્રદ્ધા વિના શાસ્ત્રની વાતો કરડી લાગવાની. કોઈ પૂછે કે ચક્રવર્તીને દુઃખ શું ? અસંતોષ એ જ દુઃખનો પ્રકર્ષ, બાકી કાંઈ એનો દુઃખનો ફોટો ન પડાય કે જેથી કોઈને બતાવી શકાય ! અસંતોષનું દુઃખ અને સંતોષનું સુખ તો જેને એનો અનુભવ હોય તે જાણે. એનાં કાંઈ બાહ્ય ચિહ્નો નથી કે જે બતાવી શકાય. વિશ્વાસ લાવી તે માર્ગે કદમ ભરવાં જોઈએ. જ્યાં જે વસ્તુ ન હોય ત્યાં તે માનવી-મનાવવી એ મિથ્યાત્વ છે. સંસારમાં રહેવું, આશ્રયોને જીવતા રાખવા, ચિંતાઓ કર્યા કરવી, લાલસાઓથી છૂટવું નહિ અને સંતોષની વાતો કરવી તે મૃષા છે. વ્યાધિ આવે ત્યાં તો પૂર્વનો અશુભોદય કહી શકીએ. પણ આધિ અને ઉપાધિ તો વર્તમાન અસંતોષને જ આભારી છે. રોગીએ ઓપરેશન કરાવવાનો નિર્ણય કર્યો એટલે ચૌદ આની દુઃખ તો એ મનોબળથી જ ઓછું થઈ જાય છે. મધુબિંદુઃ
મધુબિંદુનું દષ્ટાંત વિચારો. જે ડાળી પકડીને ભાગતો માણસ લટક્યો છે તે ડાળીને ઉંદર કાપી રહ્યો છે, જે કૂવા પર લટકે છે તે કૂવામાં ચાર મોટા અજગર મોં ફાડીને બેઠા છે, જ્યારે ઉન્મત્ત બનેલો હાથી તો આખા વૃક્ષને મૂળમાંથી હલાવી ઉખેડી નાંખવા મથી રહ્યો છે. આમ ચારે તરફના ભય વચ્ચે રહેલા તેને વિમાનમાં રહેલો દેવ પોતાના વિમાનમાં આવી જવા કહે છે ત્યારે એક મધના ટીપામાં લુબ્ધ બનેલો તે વિમાનમાં જવા તૈયાર થતો નથી. આવી હાલત અસંતોષી જીવની છે. અસંતોષ એને બધી પીડા ભુલાવે છે. દરેક ઇંદ્રિયોના વિષયો ક્ષણિક છે. છતાં ક્ષણિક લાગતા નથી એનું કારણ ?