SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - , 1506 સરખાવતાં મેરૂના સંતોષરૂપી નંદનવનનું વર્ણન ચાલી રહ્યું છે. સંતોષરૂપ એ નંદનવનનો આનંદ સાધુઓ જ લૂંટી શકે છે. એ આનંદ લૂંટનારે ચિત્તની અધમતાનો ત્યાગ કરવો પડે છે. શુભ અધ્યવસાયો સંગ્રહીને કર્મમલ ખસેડવો પડે છે અને સૂત્રાર્થનું નિરંતર સ્મરણ કરી ચિત્તને પ્રકાશમાન બનાવવું પડે છે. મહાપુરુષોએ મોક્ષના સુખ અને સંતોષના સુખને સરખાં કહ્યાં છે. એ બંને સુખમાં અંતર નથી. સઘળી ઇચ્છાઓનો અભાવ, પુદ્ગલ સંસર્ગનો અભાવ, એકાંત આત્મરમણતા એ જ મોક્ષ. દુનિયાના કોઈ સુખ સાથે સંતોષની સરખામણી થઈ શકે તેમ નથી, કેમ કે એ એનાથી વિપરીત છે. સંતોષમાં સ્થિર થનાર મુક્તિ પામે પણ સંતોષહીન આત્મા કદી મુક્તિ ન પામે. * . સમ્યક પ્રકારે તોષ તે સંતોષઃ દુન્યવી પદાર્થોની ઇચ્છાનો અભાવ એ જ સંતોષ. દાન, શીલ, તપ, ભાવ પણ સંતોષીથી જ બને. કૃપણ, અનાચારી, ઇંદ્રિયાધીન તેમજ અધમ અધ્યવસાયવાળામાં સંતોષ ન હોય. ઉદારતા હોય નહિ, સદાચાર સેવે નહિ, ઇચ્છાઓ ઉપર અંકુશ નહિ, એનામાં સંતોષ ક્યાંથી હોય ? સમ્યક્ પ્રકારે તોષ, તે સંતોષ. જ્ઞાનીએ પોતાના અનુભવનું વર્ણન આ શાસ્ત્રમાં કર્યું છે. જેવો સંતોષનો આનંદ અનુભવ્યો તેવો કહ્યો. તમારી દોડધામમાં “હાજીહા' ભણનારું આ શાસ્ત્ર નથી. તમે જેમાં આનંદ માનો તેમાં આનંદ કહેવા આ શાસ્ત્ર તૈયાર નથી. સંતોષ વિના કશામાં સુખ નથી ? પુદ્ગલના રંગીની અને સંગીની એ દશા છે કે પોંતાના મનગમતી વાત આવે તો એ સાંભળે. નવું આવે અને તેમાંય પોતાને કાંઈ છોડવાનું આવે કે તરત એ મૂંઝાય. માટે તો એને સત્ સાથે જ વિરોધ હોય છે અને તેથી એ સત્ય વસ્તુ સમજી શકતો નથી. મહાપુરુષોએ અનુભવ કરી જીવનમાં ઉતારીને પછી એ બધી વાતોની શાસ્ત્રોમાં નોંધ લીધી છે. આ મહાપુરુષો જેવા તેવા ન હતા. ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં જન્મેલા એ, ઉત્તમ સામગ્રીવાળા હતા. ગણધર ગોત્ર બાંધીને આવેલા તથા પૂર્વધર થવા સર્જાયેલા એ આત્માઓ પૂર્વે તેની આરાધના કરીને આવેલા હોય છે. એમણે બધે શોધ કરી, બધાં શાસ્ત્ર જોયાં, દુનિયાના બધા પદાર્થો જોયા, તે પછી જ લખ્યું કે સંતોષ વિના કશામાં સુખ નથી. સંતોષી સાધુ અને અસંતોષી ચક્રવર્તી એ બંનેને સામસામે બે પલ્લામાં બેસાડો તો એકને જેટલું સુખ તેટલું જ બીજાને દુ:ખ. સંતોષીને સુખનો પ્રકર્ષ હોય છે ને અસંતોષીને દુઃખનો પ્રકર્ષ હોય છે. સંતોષ વિના સાચી ઉદારતા,
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy