________________
1503 – ર૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન – 100 – ૩૧૫ દીકરાને વિલાયત મોકલે છે, ત્યારે સાગરમાં સ્ટીમર ડૂબવાનો ભય નથી ? દીકરાની વહુ સાગરનો ભય બતાવે તો મા-બાપ સમજાવે કે “અત્યારે અપશુકન ન કરો. બધાં સારાં વાનાં થશે.” એમ કહીને પેલીને ચૂપ કરે. આ રીતે કેટલાય છોકરાઓને તેનાં મા-બાપે અને સાસુ સસરાએ વળાવ્યા છે અને એવી રીતે ગયેલાઓમાંના કેટલાક અકસ્માતથી મર્યા પણ છે અને રંડાપો પામેલી તેમની વહુ-દીકરીઓ આજે પણ જીવે છે. છતાં ત્યાં મન વળાવે છે અને કહે છે કે, “હોય, એ તો ચાલ્યા કરે.” એમ કહીને પાછા જાતે મૂકવા જાય છે. પેટ કે પૈસા ખાતર આટલો ત્યાગ કરવાનું મા-બાપ કહે તો મુક્તિ માટે શ્રી જિનેશ્વરદેવ ઓટલો ત્યાગ કરવાનું કહે ત્યાં વાંધો ઉઠાવે એને ધર્મવિરોધી ન કહેવાય ? સમકાલે એ બધાને આજે ધર્મ પ્રત્યે વૈર-વિરોધની ભાવના જાગી છે. આજનું ધર્મવિરોધી પ્રચારકાર્ય : -
આજે ભૂલેચૂકે એક સમાચાર દીક્ષાના વહેતા થાય તો તરત તાર ટપાલની ધમાલ બોલે છાપાંની કૉલમો કાળી થાય. આ શું છે ? એક આચાર્યશ્રી કાઠિયાવાડમાં જઈ રહ્યા છે ત્યારે એ આચાર્યશ્રી એક, પ્રવેશનો દિવસ એક અને ગામ પણ એક તેમાં તો દસ ગામોમાં તાર પહોંચી ગયા કે “સાવધ રહેજો, તમારા ગામમાં દીક્ષા આપવાના છે. અને ખરેખર દીક્ષા લેનાર તો કોઈ હતું જ નહિ. આજે આ જાતનું પ્રચારકાર્ય ચાલુ છે. જ્યાં એ યુવક સંઘ ન હોય ત્યાંથી પણ એના નામે તારો થતા હોય અને તેમાં જણાવે કે “ફલાણા સાધુ જુલમી છે.” વગેરે ! આ બધું સામૂહિક પાપ થાય છે ને ? સામુદાયિક પાપની પ્રવૃત્તિ ઃ
કોઈના મરી જવાથી એના ઘરનાઓ મહિનાઓ સુધી રૂએ અને આંખમાં આંસુ પાડે પણ તેના કોઈ સમાચાર છાપામાં ન આવે, પણ દીક્ષા લેનારનો કોઈ દૂરનો સગો પણ પોતે માની લીધેલા વ્યવહાર ખાતર પરાણે આંખમાં આંસુ. લાવ્યો હોય તો છાપામાં મોટાં મથાળાં આવે કે “ભયંકર જુલમ, મોટો અત્યાચાર, મચેલો હાહાકાર, વિરોધ કરો, હડતાળ પાડો વગેરે વગેરે.” જો કે કોઈ એનો સગો હડતાળ પાડવા તૈયાર ન હોય પણ જુઠ્ઠો પ્રચાર જોરશોરથી કરે. કાંઈ ન દેખાય તોય બનાવટી વાતો ઊભી કરે અને લોકલાગણી ઉશ્કેરવા લખે કે “એની મા તો બેહોશ થઈને પડી હતી' વગેરે. આજનો મોટો ભાગ એ ટોળામાં ભળ્યો છે. એ સામુદાયિક પાપની ક્રિયા છે. સાચી વસ્તુ પર પણ ફાવે