SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1502 દો, તમારા બે જણ વિના કોઈ જ નહિ બચે. છતાં રથમાં બેસાડીને મા-બાપને લઈ જાય છે ત્યાં દરવાજે આવી રથ અટકે છે. દેવો સાફ કહે છે કે આ મહેનત ફોગટ છે. મા-બાપ અંતે અનશન કરી નેમનાથ ભગવાનનું શરણું સ્વીકારે છે અને પુત્રોને જવાનું કહે છે. આ રીતે કૃષ્ણ અને બળભદ્ર પોતાનાં મા-બાપને પણ બચાવી શકતા નથી. ત્રણ ખંડના માલિકોની પણ આ દશા થઈ. સભાઃ “બધાંનું પાપ એક સાથે ઉદયમાં આવ્યું ?' હા ! આજે પણ જુઓને ! નાટક-ચેટકમાં એકસાથે તાલીઓ પડે છે ને ? અને દીક્ષા જેવી ચીજના વિરોધમાં પણ આજે એ જ સ્થિતિ છે ને ? સામુદાયિક કર્મ આમ જ બંધાય છે. દીક્ષાની વાતમાં એક જ મુદ્દો કે “બસ, ગમે તેમ થાય પણ દીક્ષા નહિ.” પણ છે શું ? તો કહેશે કે “કાંઈ નહિ, પણ દીક્ષા ન થવી જોઈએ.” હવે આનો શો ઉપાય ? જૈન સંઘ તો તે જ કહેવાય કે જે કોઈની દીક્ષા થતી જોઈને રાજી થાય. આજના જુવાનિયાઓનું ખમીર બીજે વળી ગયું છે. કોઈ ભાગ્યવાન યુવાનો સાધુના સંસર્ગે બચ્યા તે બચ્યા. પણ તેમને જોઈને પેલાઓને આશ્ચર્ય થાય છે. એ કહે છે કે આવી જુવાનીમાં વળી તમે ક્યાં ફસાયા ? પેલા પણ ડાહ્યા છે. એ તમને કહી દે છે કે બધા કાંઈ તમારા જેવા તોફાનીઓ ન હોય; જરા સમજો તો સારું.’ શું એમને ધર્મવિરોધી ન કહેવાય ? આજના જુવાનોનું ખમીર દીક્ષા જોઈને ઊકળે છે, પણ પાપપ્રવૃત્તિઓ જોઈને નથી ઊકળતું. દુનિયાની સાધના માટે તો એ પણ બધું કરવા તૈયાર છે. જો એ ત્યાં સંસારની પાપપ્રવૃત્તિઓમાં મા-બાપ કે સ્ત્રીપુત્રાદિનો ત્યાગ ન જ થાય એવું માનતા હોત તો આપણે તેમને પ્રામાણિક કહેત, તેમની માન્યતા પ્રામાણિક છે એમ માનત. પણ એવું નથી એમ નજરે દેખાય છે. માટે તેમની માન્યતાને અપ્રમાણિક કહેવામાં વાંધો નથી. જે લોકો દીક્ષામાં જે જે વાતનો વિરોધ કરતા હતા તે લોકો દેશની રાષ્ટ્રીય ચળવળમાં એ બધી વાતોનો વિરોધ નથી કરતા, પણ તેને વાજબી ઠરાવે છે. ત્યાં તો કહે છે કે, “સ્વરાજ્યની લડત ખાતર મા-બાપને રોવરાવીને પણ જવાય, આપતું કાળે એ કશું ન જોવાય. જે એવું ન જોવે અને ઝંપલાવે તે જ વીર છે, બહાદુર છે. જે જોવા રહે તે કાયર છે.” આપણે હવે આવું બોલનારને અપ્રામાણિક કહી શકીએ, કારણ કે હવે નક્કી થાય છે કે એ નામદારોને ધર્મ સાથે જ વૈર છે, નહિ તો અહીં દીક્ષામાં જુદી વાતો કેમ કરે ? મા-બાપ પોતાના વહાલા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy