________________
૩૧૨.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1500 વ્યવહાર પણ ધર્મને પોષક જ જોઈએ, બાધક ન જ જોઈએ. ધર્મશાસ્ત્રોને દુનિયાદારી સાથે જરાય લાગતુંવળગતું નથી. જો એમ લાગતુંવળગતું હોય તો એક પણ મહાવ્રત ન પળાય. પાંચેય મહાવ્રતોની પ્રતિજ્ઞાઓ કેવી છે ? એમાં જરાય પોલ છે ? મન, વચન, કાયાએ ન કરાય, ન કરાવાય, ન અનુમોદાય તેવી છે ને ? ધર્મગુરુઓની જરૂર ધર્મ માટે જ છેઃ
સૂર્યનો પ્રકાશ ન થાય ત્યાં સુધી બહેનોથી રસોડામાં ન જવાય અને ચૂલો ન સળગાવાય એમ સાધુ કહે પણ પછી કોઈ બાઈ બે કલાક સુધી ન પણ જાય તો એને ઠપકો દેવા જવું એ સાધુનું કામ નથી. પુંજણી રાખી ચૂલો પૂંજવાનું સાધુ કહે પણ પૂંજ્યા પછી ચૂલો સળગાવવાનું તો સાધુ ન જ કહે. શ્રી જિનેશ્વરદેવ, શ્રી ગણધરદેવ, શ્રી ગણધરદેવો, શ્રી આચાર્ય ભગવંતો વગેરે બધા થયા પણ કોઈએ “સમયસર ચૂલો સળગાવવો” એમ કહ્યું ? કેમ નહિ ? પાપ તો છે જ અને દુનિયા એ કામમાં તો તત્પર જ છે. વગર ઉપદેશે પણ એ ક્રિયા અટકવાની નથી. સાધુ ચાલ્યા ગયા. ત્યાં પેઢીઓ બંધ થવાની નથી, બંગલા ખાલી થવાના નથી. સાધુ ચાલ્યા જવાથી મંદિર, ઉપાશ્રયનાં દ્વાર બંધ થાય એમ બને. પણ સાધુના અભાવે પેઢી કે રસોડાને તાળાં મરાયાં ? કંપનીઓ તૂટવા માંડી ? બેંકોના વહીવટ અટક્યા ? ના, એ બને જ નહિ. સાધુના વિહાર
જ્યાં બંધ થયા ત્યાં મંદિર ઉપાશ્રયને તાળાં મરાયાં એ જોઈએ છીએ. સાધુના અભાવે સામાયિક, પૂજા આદિ ધર્માનુષ્ઠાનો ઘસાયાં દેખાય છે. પરદેશમાં સાધુ નથી ત્યાં વેપાર ધંધા, પેઢીઓ, કંપનીઓ વગેરે ચાલે છે કે નહિ ? ચાલે જ. ત્યારે હવે કહો કે સાધુનું કામ શા માટે ? ધર્મ માટે જ. જે સાધુ ધર્મને મૂકી દુનિયામાં ડહાપણ ડહોળવા જાય તે કેવો ? એવા ધર્મગુર પાસે તમે રાજીનામું માંગી શકો છો ! .
સાધુના કહેવાથી જ જો તમે દરેક કાર્ય કરવા તૈયાર થતા હો તો હું તો કહું છું કે તમે બધા અહીં જ આવી જાઓ ને ? પણ નહિ આવવાના તેની મને ખાતરી છે. શ્રી જિનેશ્વરદેવના અભાવે, આચાર્ય ભગવંતોના અભાવે, મુનિઓના અભાવે અને શાસ્ત્રના ઉપદેશ વિના પણ દુનિયામાં અઢારે પાપસ્થાનકોની કાર્યવાહી ચાલુ હતી, છે અને રહેવાની જ. સાધુએ અનીતિ કરવાનું કહ્યા પછી જ કોઈએ અનીતિ કર્યાનો એક પણ દાખલો છે ? પરંતુ અનીતિ ન કરવાનું કહ્યા છતાં અનીતિ કર્યે જ જાય એવા દાખલા ઠામઠામ છે. ધર્મગુરુઓની દુનિયાને જરૂર શા માટે એ કહો ! કેવળ ધર્મ માટે જ ધર્મગુરુઓની જરૂર છે. ધર્મને મૂકી