SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ - 1494 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પણ કોઈમાં લેપાય નહિ. આડતિયાની મહેમાનગતિ કરવી પડે તો કરે પણ હૃદયમાં એમાં તદાકાર ન થઈ જાય. પણ એમાં જો કોઈ સાધુ-સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા આવી જાય તો એની આગતાસ્વાગતા એ હૈયાથી કરે. શ્રીમંત શ્રાવકને લેવા સામે ગયા તે વાત જુદી પણ સામાન્ય સાધર્મીનું સ્વાગત કરવા સામે ગયા ? એની મહેમાનગતિ કેવી કરી એ આત્માને પૂછો. પહેલો બાહ્ય ત્યાગ પછી આંતરત્યાગ : સભાઃ “પરભાવમાં પડેલો વ્યભિચારી ન કહેવાય ?' કહેવાય જ; પણ એ વાત બહુ ઊંચી કોટિની છે. પરભાવ ખસ્યા પછી તો શરીરની સેવા પણ ન થાય. દુનિયાની તમામ કાર્યવાહીથી ઘેરાયેલાને શરીરની મૂચ્છનું પૂછવું જ શું ? શાસ્ત્રકારે પહેલાં સ્વજન ધૂનન કહ્યું, પણ શરીરની મૂચ્છનો ત્યાગ પહેલો ન કહ્યો. શરીરની મૂર્છા ગયા વિના સંયમ હોય નહિ એમ કહેનારા ગાંડા છે. સંયમ સ્વીકાર્યા વિના કદી શરીરની મૂર્છા છૂટતી નથી. અનાદિકાળથી આત્મા શરીની સેવામાં તો પડેલો છે. હજી શરીરથી દૂર રહેલી વસ્તુઓ ખેંચે છે તો એની સાથે એકમેક થઈને રહ્યો છે, તેની મૂચ્છ એકદમ શી રીતે છોડે ? ઘર ખરાબ લાગે તો મૂકીનેય ભાગે પણ શરીર ખરાબ લાગે તો કાંઈ ગળે ટૂંપો દેવાય ? નહિ જ. ટૂંપો દેવાથી તો ફાયદો પણ નથી, પહેલો બાહ્ય ત્યાગ કે પહેલો આંતરત્યાગ ? બાહ્ય ત્યાગ વિના મોટા ભાગે આંતરત્યાગ ન આવે. આંતરત્યાગ વિના બાહ્ય ત્યાગની કિંમત નથી એ વાત સાચી પણ બાહ્ય ત્યાગ વિના એ આવે ક્યાંથી ? છેટે રહેલી ચીજો મૂંઝવે તો આ શરીર ન મૂંઝવે ? હજી તો લક્ષ્મીની આધીનતા પાર વિનાની છે. લક્ષ્મી જાય કે આવે બેયમાં સનેપાત થઈ જાય છે. એ આંતરત્યાગી કઈ રીતે બને ? એવો માણસ કહે કે હું ત્યાગી છું અને મને શરીર પર મમત્વ નથી તો એ મનાય ? જે ચીજ જે સ્વરૂપે માનવી જોઈએ તે ચીજ તે સ્વરૂપે ન મનાય તો સત્ય ન પમાય. લોકિક બુદ્ધિનો પરિત્યાગ કરી લોકોત્તર બુદ્ધિ સ્વીકારો તો જ આ શાસન પામવાની લાયકાત આવે. લોકોત્તર બુદ્ધિને જરા પણ ફટકો ન પડે, ઉત્તમ ભાવનાને આઘાત ન થાય તે રીતે શ્રાવક વર્તે. મહેમાન આવે તો મહેમાનગતિની મના નથી, પણ મહેમાન માટે ધર્મકરણી ન ચુકાય. મહેમાનને પણ ધર્મકરણીમાં સાથે લેવાય.અને ન આવે તો ગાદીતકિયે બેસાડી પોતે ધર્મકરણી કરવા જાય પણ મહેમાન ખાતર ધર્મકરણી ચુકાય નહિ. મહેમાન પણ શ્રાવકના આચાર જાણી જ જાય અને એવા જ સમયે આવે અને યજમાનના આચારને યોગ્ય રીતે જ વર્તે. મહેમાનને પણ આ રીતે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy