________________
1463
- ૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન – 100 - - ૩૦૫ કારણ ? ત્યાં બધી ગરબડ ચાલે છે. અહીં માત્ર બોલ્ય નથી ચાલતું. અહીં અમલની વાત છે. વાતવાતમાં અંકુશ છે. “દુનિયા દુઃખી નથી” એવું કદી સાંભળ્યું ? દેરાસરમાં બોલાયેલાં સૂત્રો સફળ ત્યારે ગણાય કે પ્રવેશતાં બોલાયેલી નિસિહી પાળે તો. સામાયિકનું ફળ ત્યારે કે સર્વસાવધ યોગનો ત્યાગ કરે તો. સારી પણ ક્રિયા આજે ભારભૂત લાગે છે એનું કારણ હૃદય પલટાઈ ગયું છે. એ પલટાયેલા હૃદયમાં પુનઃ પલટો થાય તો જ સંઘત્વ આવે. પછી એ દુનિયાની સઘળી કાર્યવાહી કરતાં છતાં એમાં લેપાય નહિ. દુનિયાને એ પોતાની ન માને. અઢારે પાંપસ્થાનક છોડ્યા વિના કલ્યાણ નથી એમ એ માને. આવું માને તે જ શ્રીસંઘમાં છે. ભગવાન બોલે નહિ અને સાધુ સર્વજ્ઞ નહિ, . એટલે તમારી ક્રિયામાં રહેલી પોલને પકડે કોણ ?' દુનિયા દુઃખી નથી એવું સાંભળ્યું છે?
આજે બુદ્ધિની ખિલવટ જુદી રીતની થાય છે. જેમાં સુખ છે તેમાં દુઃખનો ભય બતાવાય છે અને દુઃખમાં સુખનો આરોપ થાય છે. એવા આરોપિત સુખ માટે દુનિયા આખી મહેનત કરે; પરિણામે પાપ બંધાય, અશુભ કર્મ તાજાં થાય, શુભ કર્મનો નાશ થાય અને દુઃખના પહાડ તૂટી પડે. દુનિયાની સાધના ખીલવવા તો અનાદિકાળથી દુનિયાનો પ્રયત્ન ચાલુ જ છે. હરેક કાળમાં દુનિયાનો એ પ્રયત્ન ચાલુ જ છતાં “દુનિયા દુઃખી નથી” એવું કદી સાંભળ્યું ? એવો સમય કદી જોયો ?
' દુનિયા દૂર રહી.. એક ગામ પણ સુખી નથી મળતું. ગામ પણ દૂર રહો, એક કુટુંબ, અરે, એક ઘર પણ સુખી છે ? એક ઘરમાં પણ પૂરું સુખ ન મળે. એય દૂર રહો, એક માણસને પણ ચોવીસે કલાક સુખના જોયા ? જે સુખી છે ત્યાંય દુઃખ નથી એવું જોયું ? આ બધું પ્રત્યક્ષ જોવા છતાં વિચારવા નહિ થોભો ? સુખ અહીં નથી પણ ક્યાંય બીજે છે એ નહિ વિચારો ? એ વિચાર આવે એ જ જૈનશાસનની પ્રાપ્તિ. એ શાસનના સાધુ તથા શ્રાવક લોકની સાથે ભળે ? શાસ્ત્ર કહે છે કે સંસારમાં રહેલા શ્રાવકને કરવું પડે તો કરે બધું પણ લાંબી લટપટ ખટપટમાં ન પડે. અનુકંપા આવે તો પોતાની મિલકત બધી આપી દે, યોગ્ય સલાહ પણ ક્યારેક આપી દે પણ બીજી લપ્પનછપ્પનમાં ન પડે. કુટુંબપાલન કરે છતાં રહે એનાથી નિરાળો. “અંતર્ગત ન્યારો રહે' એ ઉક્તિ અહીં લાગુ પડે છે. જે સંયોગમાં બેઠો હોય ત્યાંની કરણી કરે ભલે પણ એ બધામાં પોતાપણું ન માને. દીકરાનો બાપ કહેવાયો માટે દીકરો રૂએ તો પીઠ પર હાથ ફેરવી લે, પણ એમાં “મારું” કે “સારું' ન માને. ઔચિત્ય સાચવી લે