________________
૨૯૮
૩૫ દર્શન ભાગ-૩
1496
પ્રશસ્ત વિના અપ્રશસ્તથી નહિ બચાયઃ
પ્રશસ્ત વિના અપ્રશસ્તથી ન બચાય. રમણીના રૂપરંગમાં મૂંઝાયેલાઓને ત્યાંથી ખસેડી મંદિરમાં પ્રવેશતા કરવા એ નાનાં છોકરાંઓની રમત નથી. કહે છે કે “મંદિરોમાં આટલા ખર્ચા શા માટે ? તેનો જવાબ છે કે “આવા મૂર્ખાઓને ડાહ્યા કરવા માટે.” એક મૂર્તિ બેસાડવામાં અબજો ખર્ચાય તોય. શાસ્ત્ર કહે છે કે ઓછા છે. મંદિર તો એવું બનાવો કે હજાર ગાઉ દૂર રહેલાને પણ જોવા આવવાનું મન થઈ જાય અને ન અવાય તો પોતાને કમનસીબ માને. ભગવાન બધે છે છતાં પરદેશીઓ આબુ બહુ જાય છે અને જોઈને જૈનોની દેવભક્તિ માટે આફરીન થઈ જાય છે. શહેરની વચ્ચે જેમ પેઢીઓ હારબંધ છે તેમ મંદિરો હારબંધ બધાની નજર ખેંચે તેવાં હોય તો તેમાં ખોટું શું ? જેમ ડગલે ને પગલે હોટલો અને થિયેટરો છે, તેમ આકર્ષનારાં મંદિરો હોય તો સારું ને ? લક્ષ્મીનો સદુપયોગ-દુરુપયોગ
મંદિરમાં પૈસા ખર્ચવા એ લક્ષ્મીનો સદુપયોગ છે અને મહેલાતો બાંધવી એ લક્ષ્મીનો દુરુપયોગ છે. મહેલાતો એ અપ્રશસ્ત રૂપ છે, મંદિર એ પ્રશસ્તરૂપ છે. ગમે તેવો માણસ પણ મંદિરમાં જઈને બોલવાનો તો પ્રાર્થના જ ને ? એ રસ્તેથી પસાર થાય તોય યોગ્ય જીવ મંદિરને ને ભગવાનને સંભારે. કુબેરદત્ત શેઠના મરણના સમાચાર સાંભળી કુમારપાળ મહારાજા એને ત્યાં ગયા છે, ત્યારે હવેલીના ચોકમાં દાખલ થતાં જ પહેલાં એ શેઠિયાનું મંદિર જોવાનું મન થયું. સ્ફટિક રત્નનું એ મંદિર એવું આકર્ષક હતું કે કોઈને પણ એમાં પ્રવેશવાનું મન થાય જ. કુમારપાળ મહારાજા કહે છે કે “ખરો ધર્મી ! કે પોતાના મહેલને પણ ટક્કર મારે એવું સુશોભિત મંદિર બનાવ્યું છે.' એ શેઠિયાઓ માનતા કે “અમે રંગરાગમાં ફસાયેલા છીએ માટે અમને આકર્ષવા આવાં આલંબનો જોઈએ જ.' આજનો હિસાબ જુદો છે. આજના લોકોની દૃષ્ટિ આલોક સામે છે તેથી આવો વ્યય એમને ખટકે, શાસ્ત્ર તો પરલોક સુધારનારી ચીજ સામે જ દૃષ્ટિ રાખવા
કહે છે.
ધર્મી અને દુનિયાના રંગે રંગાયેલાનો ભેદઃ
દુનિયાના રંગરાગ ગમે તેને ભગવાનની મૂર્તિ ગમે ? સારામાં સારી ચીજ ધર્મી પહેલાં ભગવાનને ધરાવે, જ્યારે દુનિયાના રંગે રંગાયેલા એવી ચીજ પોતાના વહાલાં બાળકોને ધરે. સારા અલંકાર એ પોતાની પત્નીને ધરે, જ્યારે ધર્મી ભગવાનની મૂર્તિને ધરાવે.