________________
૨૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1480 સ્વરૂપનું ચિંતન (૩) અપાય વિચારણા (૪) લોકસ્વરૂપ ચિંતન આ ચાર આલંબન છે. શુક્લધ્યાનના પહેલા પાયામાં દ્રવ્ય, ગુણ, પર્યાયની વિચારણાનું આલંબન છે. પણ દ્રવ્યથી ગુણમાં, ગુણથી પર્યાયમાં એમ પલટો થયા કરે. બીજા પાયામાં જે ગુણ, જે દ્રવ્ય કે જે પર્યાય લે, તેની જ વિચારણા કરે. શુક્લધ્યાનનો ત્રીજો-ચોથો પાયો તો કેવળજ્ઞાન પછી ચૌદમે ગુણસ્થાનકે છે. જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ!
જેને આજ્ઞા સમજવી નથી, અપાયમાં શ્રદ્ધા નથી, વિપાકને વિચારવા નથી અને લોકસ્વરૂપનું ચિંતન કરવું નથી એ ધર્મધ્યાન શું કરે ? એને તો આર્ત રૌદ્ર હોય; પૈસા, અમદા અને પુત્રાદિ પરિવારના વિચારો ચાલતા હોય; જે જોયું, જે જાણ્યું કે જે અનુભવ્યું હોય તેના વિચાર થાય. “સોડ€ના જાપ માત્રથી કેવળી થવાતું હોત તો બધા કેવળી થઈ જાત; ' કોણ?ને મર્દ કોણ ! એની જાપ કરનારને ખબર જ નથી. ઘણા કહે છે “મેં સિદ્ધશિલા જોઈ પણ એ તો સાંભળેલા શબ્દોથી થયેલી કલ્પના છે. આત્માના સ્વરૂપનું જેને ભાન ન હોય એ ધ્યાન કોનું ધરે ? શાસ્ત્ર જ્ઞાનયામ્યાં મોક્ષ' કહ્યું પણ એકલા જ્ઞાનથી મોક્ષ ન કહ્યું.
સભાઃ “જ્ઞાનમાં રમણતા એ પૂર્ણ ક્રિયા નહિં ?”
ખરી, પણ જ્ઞાનમાં રમણતા આવે ક્યારે ? એ માટે બીજી કેટલી ક્રિયાઓ કરવી પડે ? આત્મા યોગ્ય ક્રિયામાં લીન થાય ત્યારે જ જ્ઞાન રમણતા ધ્યાન આવે. દુનિયા અર્થકામના ધ્યાનમાં લીન છે?
અર્થકામનું ધ્યાન તો દુનિયામાં ચાલુ જ છે. દુનિયા એમાં તન્મય છે. એવી તન્મયતા અહીં થવી જોઈએ. એ થાય તો પ્રમાદ જાય અને સાતમું ગુણસ્થાનક આવે. નિરાલંબન ધર્મધ્યાન તો સાતમે ગુણસ્થાનકે છે. ચોથે, પાંચમે, છછું ધર્માભિમુખપણું છે; પણ ત્યાં ધર્મધ્યાન નથી, કેમ કે હજી આત્મા તદાકાર બન્યો નથી. શાસ્ત્ર વાંચ્ચે કાંઈ ધર્મધ્યાન નથી આવતું. પ્રમાદ નાશ પામે, અવિરતિ જાય, વિરતિ આવે પછી સાતમું ગુણઠાણું આવે ત્યારે ત્યાં નિરાલંબન ધર્મધ્યાન થાય. ચોથે, પાંચમે, છછું સાલંબન ધર્મધ્યાન હોય છે. ત્યાં નિરાલંબન ધર્મધ્યાનની પ્રાપ્તિ નથી. દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર, ધર્માનુષ્ઠાન-વગેરે પ્રત્યે રાગ, એના વિરોધીઓ પ્રત્યે દ્વેષ, એની સામે આક્રમણ આવે ત્યાં ક્રોધ, એનું ગૌરવ જાળવવા માન, એને સાચવવા ને કેળવવા માયા અને એને વધુ ને વધુ