________________
1479 – ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો - 99 – ૨૯૧ રૂ૫ આત્માને મૂંઝવે છે ત્યાં સુધી સામે એવાં રૂપ રાખવાં કે જેથી પેલાં રૂપ આત્માને મૂંઝવી ન જાય. એ રૂપ ન મૂંઝવે ત્યાર પછી મૂર્તિનાં દર્શનનું કામ નથી. રમણીના રૂપથી મૂંઝાનારો આત્મા સાચું આત્મધ્યાન કરે એ સંભવિત નથી. - પછી બાહ્ય આલંબનોની જરૂર નથી :
દુનિયામાં ગમે તેવા રૂપરંગ ન મૂંઝવે પછી સ્થાપના નિક્ષેપાની અર્થાત્ બાહ્ય આલંબનોની જરૂર નથી. છઠ્ઠા ગુણઠાણે રહેલો છતે જિનમંદિરે દર્શન કરવા ન જાય તો એને પ્રાયશ્ચિત્ત આવે, કેમ કે, એ હજી પ્રમાદી છે. અપ્રમત્ત બને, તદાકાર થાય ત્યારે બાહ્ય આલંબનની જરૂર નથી. જ્ઞાની કહે છે કે છપ્રસ્થથી એકસાથે બે ક્રિયા ન થાય. જે ક્રિયા કરવી તેમાં તન્મય બનવું, તો જ એ ક્રિયા સારી રીતે થાય. વ્યાખ્યાનમાં સામાયિક થાય પણ સાંભળવું અને નવકારવાળી ગણવી એ બે કામ સાથે ન થાય. સામાયિક લેનાર પણ શ્રુત સામાયિક કરી શકે છે. વ્યાખ્યાન ઊઠે ત્યારે જ ઊઠવું એવો સંકલ્પ કરીને બેસે પણ મોડો આવ્યો હોય ને અડતાલીસ મિનિટ પૂરી થઈ ન હોય તો પાછળથી વધારે વાર બેસી એટલો સમય પૂરો કરે. આલંબન વિના ધ્યાન શાનું?
વગર આલંબને જીવ ધ્યાન કોનું કરે ? સ્વનું તો હજી ભાન પ્રગટ્યું નથી. રહેવા ઘરબાર જોઈએ, ખાવા માલપાણી જોઈએ, રંગરાગ અને રમણીના રૂપરંગ-ઢંગ બધું જોઈએ, સલામો ભરવી-ભરાવવી ગમે, આ બધાં આલંબનો લે છે, માત્ર ધર્મની વાત આવે ત્યાં “આલંબનની શી જરૂર ?' એમ બોલે એ કેમ ચાલે ? સાધનને વળગી જ રહેવાનું જ્ઞાની નથી કહેતા. પણ હજી તો જ્યાં શાક વિના રોટલી ગળે નથી ઊતરતી ત્યાં બાહ્ય સાધનો નકામાં કેમ મનાય ? આત્મગુણ પ્રગટાવવા છે માટે જ બાહ્ય સાધનોની જરૂર છે. જો પ્રગટી ચૂક્યાં હોત તો જરૂર નહોંતી; પણ નથી પ્રગટ્યા માટે તો જરૂર છે. ચોવીસે કલાક દુનિયામાં રાચેસાચે અને આત્મકલ્યાણકર અનુષ્ઠાનમાં આલંબન ન સ્વીકારે એ ન નભે. ઘરના ખૂણે આંખો મીંચીને ધ્યાન કરવાનો દેખાવ કરે તે કાં તો ઊંધે છે ને કાં તો વિકલ્પો કરે છે. આલંબન વિના ધ્યાન શાનું કરે ? ધર્મધ્યાનના ચારેય અને શુક્લધ્યાનના પહેલા બે પાયામાં પણ આલંબન તો છે જ. - એ આલંબન કયાં છે ?
ધર્મધ્યાનમાં (૧) શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની વિચારણા (૨) વિપાકના