SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1478 અપ્રશસ્ત કષાયને જીતવા પ્રશસ કષાયની જ જરૂર : દૂધમાંથી ઘી બનતાં પહેલાં દૂધનાં અનેક રૂપક થાય છે. પ્રતિપક્ષી પુદ્ગલો દૂધમાં ભેળવવાં પડે છે. જડના સંસર્ગમાં હોવા છતાં “જડની સહાય ન જોઈએ એમ કહેવું છે ને નભે. જેના ફંદામાં ફસ્યા તેની સામે તેવા જ ઉપાયો યોજવા, તે જ જાતિના પ્રતિપક્ષીને એની સામે ઊભો રાખવો, તો જ એના ફંદામાંથી છુટાય; માટે તો જ્ઞાનીઓએ પ્રશસ્ત કષાયોની છૂટ આપી. અપ્રશસ્ત કષાયો ત્યારે જ જીતાય કે જ્યારે એમની સામે પ્રશસ્ત કષાયોને ઊભા રખાય. સબળા દુશ્મનને જીતવા વધુ સબળા દુશ્મનોનો સાથ મેળવી લેવો પડે, તો જ જીત થાય. આત્મામાં જ્ઞાન છે, એ દબાયેલું છે, એને પ્રગટ કરવા કક્કો ઘૂંટવો જ પડે. બાહ્ય સાધન વિના એ પ્રગટ થતું નથી. આત્માની અનંત શક્તિ પ્રગટાવવા ઈર્યાસમિતિ આદિનું પાલન, શાસ્ત્રનું વાંચન, એનું શ્રવણ અને એનું પઠનપાઠન કરવાં જ પડે. મળેલાં સાધનોનો સદુપયોગ થાય તો જ કેવળજ્ઞાન પેદા થાય. આંખો બંધ રાખવાથી કે એનો સદુપયોગ ન કરવાથી ન તો ઇર્યાસમિતિ પળાય, ન વીતરાગની મૂર્તિનાં દર્શન થાય અને ન શાસ્ત્રોનું વાંચન થાય. એ બધા વિના ભાવગુણ પ્રગટે ક્યાંથી ? શાસ્ત્રો એ અનુભવીની વાણી છે? બંધ આંખવાળાને પણ જ્ઞાનાદિ થાય. પરંતુ ત્યાં પણ પૂર્વની આરાધના કારણરૂપ છે. પૂર્વની આરાધનાના બળે અહીં સામગ્રી વિના પણ વસ્તુની પ્રાપ્તિ થાય. એટલે એક અથવા બીજા પ્રકારે પણ જરૂરી સાધનો તો જોઈએ જ. જડના સંસર્ગમાં ફસાયેલા આત્માને એ જડને ખસેડવા જડની સહાય વિના છૂટકો જ નથી. ગમે તેટલાં પુસ્તકો ભણેલો હોય પણ વગડામાં ભૂલો પડે ત્યારે અભણ ગામડિયાને એણે માર્ગ પૂછવો જ પડે. ત્યાં પુસ્તકનું કામ નહિ પણ ભોમિયાનું કામ. આ શાસ્ત્રો એ અનુભવીની વાણી છે માટે એને શ્રુત કહ્યું છે. જો એ કલ્પિત હોત તો એને શ્રત ન માનત. સભાઃ “અપંગને કે અંધને કેવળજ્ઞાન થાય ? સંભવિત છે. કેવળજ્ઞાનમાં એ વસ્તુઓ બાધક નથી. તીર્થસ્થાપના પૂર્વે કેવળજ્ઞાન થયું હોવું જ જોઈએ. તેનો હેતુ એ છે કે મુક્તિમાર્ગના નિરૂપણમાં ફેરફારનો સંભવ જ નહિ. આપણા જ્ઞાનમાં શંકા થાય પણ કેવળજ્ઞાનમાં એક પણ શંકાને અવકાશ નથી. આપણું જ્ઞાન મેલું અને અધૂરું છે, એ જ્ઞાન ચોખું અને પરિપૂર્ણ છે. આપણને પુદ્ગલના સંયોગો મૂંઝવે છે, એમને મૂંઝવતા નથી. આંખ સામે રૂપ આવે તે આપણા ચેતનને મૂંઝવે છે. શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy