________________
૨૮૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1474 પોકાર કરનારા એ લોકો કહે છે કે “સાધુ ઓઘો પણ અમે કહીએ ત્યારે અને કહીએ તેને જ આપે.' પણ આવું કહેનારને એ ઓઘો શું? અને શા માટે ? -એ વાતનું લેશ પણ જ્ઞાન નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની એને કાંઈ ગમ નથી. આવાને સંઘ શી રીતે માનીએ ? સાચી રીતે ગુણથી સંઘ બનો, નહિ તો જેવા છો તેવા ઓળખાવવા પડશે?
શાસ્ત્રમાં આચાર્યને નવ રીતે શ્રી જિનેશ્વરદેવ જેલ ફહ્યા છે, નવ પ્રકારના વર્તનથી આચાર્ય શ્રી જિનેશ્વર દેવ સાથે સરખાવ્યા છે, પણ કોઈ ગૃહસ્થને એ સ્થાને ન મૂક્યા. સંઘ બનવું હોય તો સાચી રીતે ગુણથી બનો તો જરૂર માનવા, પૂજવા તૈયાર છીએ. સંઘ તરીકે મનાવા, પૂજાવાના કોડ હોય તો સંઘ બનો, બાકી ખોટી હોહા મચાવો તો જેવા હો તેવા ઓળખાવવા માટે તમામ પ્રયત્નો કરવા પડશે.
સંતોષરૂપ નંદનવન માટે શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે તે હવે પછી.