________________
148
– ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ – 98 – ૨૮૫ બાળકમાં આવા સંસ્કાર નાંખનાર મા-બાપ પોતે જ છે. એમને પણ એમના બાપે આવું જ કહેલું એટલે એ પણ શું કરે ?
સભાઃ “એવો જ વ્યવહાર ચાલ્યો આવે છે.”
તે આ શાસનમાં કેમ નભે ? એવો વ્યવહાર ચાલતો હોય અને ઓઘાવાળા એમાં સિક્કા મારે પછી ઓછપ રહે ? આજે તો શાસ્ત્રોમાંથી પણ કમાવાની, ખાવાપીવાની અને બીજી પોતાને મનગમતી આજ્ઞાઓ શોધાય છે. શાસ્ત્રમાં એ મળે ક્યાંથી ? પણ પછી ફાવતા અર્થ કઢાય છે. શાસ્ત્રમાં આવે કે “ગૃહસ્થ માટે ભિક્ષા અનુચિત છે !' વાત પણ સાચી. સાધુ પાતરાં લઈ ભિક્ષાએ નીકળે તો કોઈ કાંઈ ન બોલે પણ તમે નીકળો તો ? આપે તો નહિ પણ ઉપરથી લોક નિંદા કરે. એ નિંદા સાંભળી ગુસ્સો આવે અને ધર્મથી પતિત થાય એટલે પેલા લોકો શાસ્ત્રના એ વચનમાંથી એવો ભાવ કાઢે કે “જોયું ? શ્રાવક વેપાર ન કરે તો ધર્મથી પતિત થાય. માટે સાધુએ શ્રાવકને વેપાર કરવાનું કહેવું જોઈએ, નહિ તો એ ધર્મથી પતિત થાય તેમાં સાધુ નિમિત્ત બને. શાસ્ત્રનાં વચનોમાંથી આવા ઊલટા ભાવો આજે કાઢનારા કાઢી રહ્યા છે. શાસ્ત્રથી અને સાધુથી તો ઔચિત્ય સમજાવાય પણ લોકોને દુન્યવી પ્રવૃત્તિઓમાં જોડાવાનું ન કહેવાય. એ પ્રવૃત્તિઓમાં જોડાવાને તો દુનિયા ટેવાયેલી જ છે. તમે બધા તો સોનું છો ને ?
મારે તમને સંતોષરૂપી નંદનવનમાં લાવવા છે અને ત્યાંના આનંદનો રસ લૂંટતા કરવા છે. એ માટેની યોગ્યતા કેળવવા ઘાટ ઘડી રહ્યો છું. એ ઘાટ ઘડવા માટે હથોડા કે હથોડીના ઘા મારું તે ખમવા તો પડશે ને ? જેવા ઘાટ ઘડવા છે તે ઘડવા દ્યો તો કામ બને. મોટો હથોડો તો લોખંડના ઘાટ ઘડવા જોઈએ. સોનાના ઘાટ ઘડવા તો નાની હથોડીથી કામ ચાલે. તમે બધા તો સોનું છો ને ?
શાસ્ત્રકારે શ્રીસંઘને મેરૂની ઉપમા આપી જે રીતે એનું વર્ણન કર્યું છે તેમાં તો ખરેખર કમાલ કરી છે. યોગ્યતાની તમામ વાતો એમાં કહી નાંખી છે. કશું બાકી રહેવા દીધું નથી. અત્યારે આ વિષય ચર્ચાય તેટલો ચર્ચવામાં લાભ છે, કેમ કે, “અમે સંઘ, અમે સંઘનો આજે પોકાર ઊઠ્યો છે. સૌ પોતાને સંઘ માને છે પણ એ બધા આવ્યા ક્યાંથી ? અમે એ બધાને તીર્થકર જેવા માનીને કઈ ગતિમાં જઈએ ?
ધર્મના સિદ્ધાંતો સામે, ધર્મનાં અનુષ્ઠાનો સામે ધોળે દિવસે ધાડ પાડનારાઓને તીર્થકરવત્ પૂજ્ય શ્રી સંઘ માનીએ શી રીતે ? “અમે સંઘ'નો