SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 142 કોર તો મોક્ષ માટે કરો, અર્થકામ માટે ન કરો. મોક્ષ માટે પ્રયત્ન કરો તો અર્થકામ તો તમારા દાસ છે. પણ જો અર્થકામની ગુલામી કરી અને ધર્મને ઠોકરે માર્યો તો અર્થકામ મળવા તો દૂર રહ્યા, પરંતુ મળેલા પણ લાત મારી ચાલ્યા જશે અને મોટી તકલીફ ઊભી થઈ જશે.' મુક્તિમાં શું નથી ? અને મુક્તિ મળે શાથી? મુક્તિ કર્મનો અભાવ થાય ત્યારે મળે છે. શુભ અને અશુભ બેય પ્રકારનાં કર્મોનો અભાવ એ જ મુક્તિ. મુક્તિ વિના જે જોઈએ તે બધામાં કર્મનો સદ્ભાવ. સંપૂર્ણ કર્મનો ક્ષય થાય ત્યારે જ મુક્તિ મળે. એ મુક્તિમાં બંગલા, બગીચા નથી, મનગમતાં ખાનપાન નથી, ખબરઅંતર પૂછનાર સ્નેહી-સંબંધી પણ નથી. દુનિયાની એ બધી ચીજો તો કર્મથી મળે છે. મુક્તિ સંપૂર્ણ કર્માભાવે છે. વળી દુનિયાની ચીજો જે શુભ કર્મથી મળે છે એ શુભ કર્મબંધ પણ ક્યારે ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ (મન-વચન-કાયાના અશુભ વ્યાપારો) અને પ્રમાદ ઢીલા થાય, મંદ પડે ત્યારે. અર્થકામ માટે એકલો પ્રયત્ન કળતો નથી. એની સફળતા ભાગ્યાધીન છે. એકલો પ્રયત્ન તો મોક્ષ માટે જ જરૂરી છે અને માટે તો સમ્યગુદૃષ્ટિને જ ઉદ્યમની પ્રધાનતા કહી. અર્થકામ પાછળ ઘૂમ્યા કરનારને પણ અર્થકામ નથી મળતા એ નજરે દેખાય છે. શાસ્ત્રોમાંથી પણ ફાવતી આજ્ઞાઓ શોધાય છે: સાધુને નમસ્કાર મળે છે અને તમને કેમ નહિ ? કેમ કે સાધુનો પ્રયત્ન મોક્ષ માટેનો છે. એ પ્રવૃત્તિ અશુભ ત્યાગની અર્થાત્ શુભાશુભ ક્ષયની છે. અર્થકામની પ્રવૃત્તિનો સાધુ સર્વથા ત્યાગ કરે છે. સાધુ તે કે જે જગતના જીવોને અર્થકામની પ્રવૃત્તિથી રોકે અથવા તો મર્યાદિત કરાવે પણ એમાં જોડાવાનું તો ન જ કહે. પ્રભુશાસનને પામેલા ગૃહસ્થનો ધર્મ પણ એ જ કે પોતાના જીવનને અર્થકામની પ્રવૃત્તિથી રોકે અથવા મર્યાદિત કરે. પણ એ ક્યારે બને ? અર્થકામ ખોટા મનાય તો ને ? ભણતર, ગણતર, બોલવું, ચાલવું બધું મોક્ષ માટે જોઈએ. તે સિવાયના ખોટા સાધ્ય માટે કે દુન્યવી સાધ્ય માટે જ ભણે ગણે તે આ શાસનમાં રહી શકતા નથી. મોક્ષ માટે પ્રયત્ન કરનાર, એના માટે ભણનાર અને એના માટે જ પ્રવૃત્તિ કરવી જોઈએ એવું માનનાર સંઘમાં ગણાય. એથી વિપરીત માનનાર સંઘ નહિ પણ હાડકાંનો ઢગલો, એમ જ્ઞાનીઓ કહે છે. આજે તો નિશાળે જતા છોકરાને મા-બાપ વાતવાતમાં કહે છે કે ભણીશ નહિ તો કમાવાનો ક્યાંથી ? ખાઈશ શું ? હવે આ બાળક તો કમાવા માટે જ ભણતર છે એમ માને એમાં નવાઈ શી ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy