________________
૨૮ ૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
170 એટલે એ બોલે નહિ અને સાધુનો ધર્મ સમતા રાખવાનો એટલે સાધુ જો સમજાવવા જાય તો એમને કહી દે કે, “મહારાજ ! “ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમ ફિલ જાય.” માટે તમારે તો કાંઈ જ બોલાય નહિ.” આવો એમનો ન્યાય છે. ધર્મના ધ્યેય વિનાની વિધા પણ સુવિધા
નીતિકારે પણ કહ્યું કે, અમુક માટે અમુક તજવું અને અમુક માટે અમુક તજવું. એવી રીતે દેશ માટે જરૂર પડે તો અમુક તજવું, પરંતુ છેલ્લે કહ્યું કે, ધર્મ માટે જરૂર પડે તો બધું તજવું. એટલે ધર્મ સાચવીને જ બધું કરવાનું. દેવ, ગુરુ, ધર્મની રક્ષા માટે જે જરૂર પડે તે કરવામાં બાધ નહિ. પણ એ ત્રણને બાધ આવે તેવું કશું ન થાય. આ ધ્યેય જેમણે સાચવ્યું તેમનાં જ નામ ઇતિહાસમાં અમર થયાં છે. ધર્મના ધ્યેય વિનાની વિદ્યા પણ કુવિદ્યા છે. આજના ભણેલા દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્ર, માતા-પિતા આદિ કશાને માનતા નથી, કારણ કે, એ ભણતરનું ધ્યેય જુદું છે, એના સંસ્કાર જુદા છે. આજનો એ સુધરેલો પોતાના ઘરડા બાપને બાપ કહેતાં શરમાય છે. શાસ્ત્રમાં આવતાં દેવનાં વર્ણનને એ ગપ્પાં માને છે, સાધુ એને ભારભૂત લાગે છે અને ધર્મને એ ફુરસદિયાઓનું કામ માને છે. સાધુને દાન આપવું એ એમને નિરુદ્યમી બનાવવા જેવું લાગે છે. “સાધુએ પણ સમાજનું કામ કરીને ખાવું જોઈએ” એમ એ કહે છે. “એમ ને એમ આપવાથી એ નિરુદ્યમી બને તેનું પાપ કોને શિરે ?' એમ પૂછે છે. આવા તો એ પાપભીરુ છે. એ સાધુ કેવા બુદ્ધિનિધાન (!) છે ?
શીલમાં પણ આજના ભણેલાઓ માનતા નથી. એ કહે છે કે શરીરની હાજત પૂરી કરવી એમાં પાપ શું ? ઇચ્છા થાય તો એને પૂરી કરવામાં પાપ હોય ? તપને પણ એ નિરર્થક માને છે. “છતે અનાજે ભૂખ્યા રહેવામાં બુદ્ધિમત્તા શી છે ?” એમ એ પૂછે છે. એક સાધુએ તો વળી એવું કહ્યું કે, “મુંબઈમાં આયંબિલ કરનારાની સંખ્યા વધી એ જ સૂચવે છે કે બેકારી વધી.” બોલો, આ કેવા બુદ્ધિના નિધાન છે ? વળી આગળ વધીને એ તો ત્યાં સુધી કહે છે કે “આટલી બેકારીમાં ધર્મના ઉત્સવોનું કામ શું છે ? આ વરઘોડા શા માટે ? અમે આવા વરઘોડામાં માનતા નથી અને આવવાના પણ નથી. હું તો કહું છું કે આવા સાધુને તો તમારે પણ કહી દેવું જોઈએ કે “મહારાજ ! આવી બેકારીમાં તમે પણ નવરા બેસી રહી અમને ભારભૂત શા માટે બનો છો ? મજૂરીએ લાગી જાઓ. તમને બેઠા બેઠા રોટલા ખવડાવી નિરુદ્યમી બનાવવાનું પાપ અમારે નથી કરવું.” જે સાધુને પ્રભુભક્તિના ખર્ચ વખતે બેકારી ખટકતી હોય તો એવા