SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ 148૭ – ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ – 98 = ૨૮૧ જાય, પાપોદયથી કોઈ રિબાતો હોય ત્યાં દયા નહિ, પણ જો કોઈ ધર્મનો નિયમ કરે, કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તો ત્યાં બધી દયા ઊભરાય. દીકરો જૂઠું બોલે તો દયા ન આવે. પણ દીકરો કંદમૂળ ન ખાવાનો કે રાત્રીભોજન ન કરવાનો નિયમ લે તો તરત દયા આવે કે “અરે ગાંડા ! અત્યારથી આવી બાધા હોય ? હજી તો ઊગીને ઊભો થાય છે, શું ખાધું પીધું છે કે અત્યારથી આવા નિયમ !” કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તો એની સાતમી પેઢીનો કોઈ સગો થતો હોય તે કાકો બનીને અટકાવવા આવે. આજ સુધી કદી ભત્રીજાની ખબર લેવા ન આવ્યો હોય, મરતાં પાણી પાવા પણ ન આવે એવો હોય પણ તે વખતે “હું એનો કાકો છું' એમ કરતો આવે. પેલો ભત્રીજો પૂછે કે, “કાકા ! અત્યાર સુધી ક્યાં હતા ? હું વીસ વરસનો થયો ત્યાં સુધીમાં તો કોઈ દિવસ મારી ખબર લેવા નથી આવ્યા. મેં ભૂખ્યા દિવસો કાઢ્યા ત્યારે મારો ભાવ કદી નથી પૂછ્યો ને આજે એકાએક ક્યાંથી દર્શન દીધાં ?' ત્યારે એ કાકો કહેશે કે એ તો તારું ભાગ્ય, પણ આજે તો આવ્યો છું ને ?' આમ, આપત્તિમાં એનું ભાગ્ય માનનારો કાકો એ ભત્રીજાનું સાધુ બનવાનું ભાગ્ય સ્વીકારવા તૈયાર નથી અને ઉપરથી પ્રશ્ન કરે કે, “કયા સાધુએ તને ભોળવ્યો ? કાચી બુદ્ધિનાને વૈરાગ્ય થઈ જાય એવાં વ્યાખ્યાનો આપવાનો અધિકાર એમને કોણે આપ્યો ? એની સામે હું મનાઈ હુકમ કઢાવીશ.' આવા કંઈક બખાળા કાઢે પણ કરી શકે નહિ કાંઈ. ધર્મની સામે પણ સત્તાધીશોને લાવવાની એમની પાપી આકાંક્ષાઓ છે, પણ એમાં એ હજુ સુધી ફાવ્યા નથી. હું વર્ષોથી વ્યાખ્યાનો કરું છું. મારાં વ્યાખ્યાનો બંધ કરાવવાની એમની પ્રબળ ઇચ્છા છે. પણ ભગવાનની વાણી એવી છે કે એને કોઈ કાયદો અટકાવી શકે નહિ. પહેલી ધાડ ધર્મ ઉપર ઃ આજની કોઈ પણ હિલચાલમાં પહેલી ધાડ ધર્મ ઉપર લાવવામાં આવે છે. બેકારીની બૂમ મારે ત્યારે પહેલાં દેરાસરમાં કેસર વગેરેના ખર્ચા તથા ભગવાનની અંગરચના બંધ કરવાના પોકાર કરે. હોટેલ, નાટક, સિનેમા અને બીજા મોજશોખના ખર્ચા એમની આંખે ન ચડે, કોઈ પીવડાવે તો કેસરિયા દૂધ મજેથી પીવા માંડે પણ ભગવાનના પ્રક્ષાલમાં દૂધ અને મંદિરના દીવાઓમાં ઘી વપરાય તે એમને ખટકે. મંદિર, ઉપાશ્રયને ભારરૂપ માને અને હોટેલ, સિનેમાને આશીર્વાદરૂપ માને એવી એમની હાલત છે. દેવ, ગુરુ, ધર્મ માટે ગમે તેવા હલકા શબ્દો બોલતાં ન અચકાય એવા એ, કોઈ ગૃહસ્થ માટે ગમે તેમ નહિ બોલે; કારણ કે સમજે છે કે ત્યાં તો સામો જવાબ મળશે. દેવ તો વીતરાગ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy