________________
153
૨૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહને માન્ય રાખ્યા છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ કે પરિગ્રહમાં કોઈએ ધર્મ કહ્યો નથી. આથી આપણા મંતવ્યની પુષ્ટિ થાય છે. અર્થકામ માટે પુરુષાર્થ નકામો છે એમ લાગે છે ? અર્થકામ મેળવનારને પણ જરૂર તો ધર્મની જ છે. ધર્મ વિના એ પણ નથી મળતા. ઘી માટે દૂધ લાવનારને દહીં, છાશ તો મળે જ. મોક્ષ માટેનો પુરુષાર્થ દૂધના સ્થાને છે. ઘી એ મોક્ષના સ્થાને છે અને દહીં, છાશ, અર્થકામના સ્થાને છે. ઘી માટેનો પુરુષાર્થ કરનારને દહીં-છાશ લેવા જવાં ન પડે. મહેનત ઘી માટે કરવાની કે દહીં-છાશ માટે ?
સભાઃ “મહેનત તો શક્તિ પ્રમાણે થાય ને ?'
શાસ્ત્ર કહે છે કે શક્તિ ગોપવવી નહિ તેમ શક્તિનો અતિરેક પણ કરવો નહિ. શક્તિને ગોપવવી એ જેમ અતિચાર છે. તેમ શક્તિનો અતિરેક એ પણ નાશનો હેતુ છે : શાસ્ત્ર તો આટલું માર્ગદર્શન કરીને અટકે. પછી એથી આગળ ન વધે.
સભાઃ “પછી આગળનો વિવેક તો પેલો કરે ને ?'
વિવેક વિના ધર્મ છે ક્યાં ? ગૃહસ્થને મુનિ એટલું કહે કે, “ગૃહસ્થ ભીખ માંગવી યોગ્ય નથી. મુનિ ભિક્ષા માંગી શકે. પણ ગૃહસ્થ માંગવા જાય તો તેનું અપમાન થાય અને ધર્મ પણ નિંદાય.” મુનિએ આટલું કહ્યા પછી ગૃહસ્થ પૂછે કે તો હું શું કરું ?” તો મુનિ દુકાન ખોલવાનું ન કહે. મુનિ ભિક્ષા લેવા જઈ શકે. એની કોઈ નિંદા ન કરે. ગૃહસ્થ પણ પૌષધમાં હોય તો “જયણા મંગલ' બોલી આયંબિલ એકાસણું કરવા જાય. બાકી કાંઈ કામ ધંધો કરે નહિ ને કોઈના ઘેર ગૃહસ્થ ભિક્ષા માટે જાય એ યોગ્ય નથી, અનૌચિત્ય છે, ધર્મની લઘુતા કરાવનારું છે. મુનિ આટલું જ સમજાવે, આથી આગળ ન વધે. આ તો કહે છે કે “ગોર હાથ પણ મેળવી આપે અને ઘર પણ ચલાવી આપે.” તો એ બને ? ગોર તો હાથ મેળવી આપે પણ પછી ધણી-ધણિયાણી વચ્ચે કજિયો કંકાસ થાય ને માથાં પણ ફૂટે તેમાં ગોર શું કરે ? જ્ઞાની તો માર્ગ બતાવે પણ ઠેઠ સ્થાને મૂકવા ન આવે. આજે તો કહે છે કે સાધુઓ તેમના ધનવાન ભક્તો પાસે કારખાનાં કેમ ખોલાવતા નથી ? ઘણા જૈનો ઠેકાણે પડે ને ? આ રીતે સાધુઓને આવી અર્થકામ અને આરંભ-સમારંભની પ્રવૃત્તિમાં જોડવાની હિમાયત કરનારાઓ ચડેલાને પાડવા મથે છે. જે સાધુઓ એવી પ્રવૃત્તિમાં જોડાય છે એને ચડેલાને પડવાથી હાડકાં ભાંગે છે એનું ભાન નથી. બંને મૂર્ખ છે અને પ્રભુશાસનમાં રહેવા લાયક નથી.