________________
146s - ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ – 98 – ૨૭૫ મુક્તિ ન મળે. એ પુરુષાર્થમાં તો લહેર છે. જેટલું કર્યું તેટલું પત્યું, થયું તેટલું ફળ મળી ગયું અને આરંભાયા પછી અધૂરું રહ્યું ત્યાં વચ્ચે અર્થકામ એની સેવામાં હાજર છે.
સભાઃ “પછી તો એની લીલામાં પડી જાય ને ?”
આ વાત મુક્તિગામી આત્માની ચાલે છે; એ આત્મા લીલામાં ન લેપાય. જેની નજર સામે સંસાર જ તરવરે તેવા આત્માની આ વાત નથી ચાલતી. મુક્તિ માટેનો પુરુષાર્થ થયો કે એ જ્યાં જન્મે ત્યાં અર્થકામની છોળો ઊછળે, ચારે તરફ આનંદ વર્તાય, લોકોના દુઃખનો નાશ થાય. મુક્તિગામી આત્મા જ્યાં જન્મવાનો હોય ત્યાં અર્થકામની સામગ્રી આગળથી જ હાજર હોય. અર્થકામથી વિરક્ત થઈ મુક્તિનો પ્રયત્ન કરનારને તો ઉપાડવા ભારે પડે એટલા અર્થકામ આવી મળે છે. શ્રી તીર્થંકરદેવોનો મુક્તિ માટેનો એવો પ્રબળ પ્રયત્ન છે કે એ ત્યાગી થયા પછી પણ લક્ષ્મી એમનો કેડો છોડતી નથી. ચક્રવર્તીની સાહ્યબીને પણ ટક્કર મારે એવી એમની સાહ્યબી હોય છે.
કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, “હે ભગવન્! તારી સ્તુતિ કરવી કઈ રીતે ? ત્યાગ પણ અનુપમ અને સાહ્યબી પણ અઢળક ! ચક્રવર્તીની સાહ્યબીથી કેટલાય ગણી સાહ્યબી.” શ્રી તીર્થંકરદેવોનો મોક્ષ માટેનો પુરુષાર્થ એટલો પ્રબળ છે એમની અર્થકામની અભિલાષા તદ્દન નાશ પામી હોવા છતાં એ મુક્તિએ ન જાય ત્યાં સુધી અર્થકામ એમનો પલ્લો છોડતા નથી. જો કે જેઓ અર્થકામ માંગીને મેળવે છે. (નિયાણું કરીને) તેમનો પણ પલ્લો અર્થકામ છોડતા નથી પણ એ બેમાં બહુ ભેદ છે.
મોક્ષ માટેનો પ્રયત્ન કર્યા પછી તે ધર્મના બદલામાં અર્થકામ માંગનારા વાસુદેવ વગેરેનો પણ અર્થકામ છેડો તો ન છોડે પણ એ અર્થકામ એની પાસે રહીને. એ ઊંચે ન જાય તેની કાળજી રાખીને, મોજમજામાં એને મૂંઝવીને સીધો પાતાળમાં ધકેલી આપે. જ્યારે તીર્થંકરદેવ વગેરે આત્માને માટે એ અર્થકામ એ આત્મા નીચે ન જાય એની કાળજી રાખીને, એમના શરીરને પણ તકલીફ ન પડવા દઈને, ટેકો આપીને મુક્તિ ભેગા કરે. ચક્રવર્તી જો જીવે ત્યાં સુધી સાહ્યબીમાં પડ્યો રહે તો સાહ્યબી એને સાતમી નરકે મોકલી આપે. ઇદ્રો સેવા કરે છતાં હર્ષ કે સ્પૃહા નથી .
શ્રી તીર્થંકરદેવો ઋદ્ધિ સિદ્ધિ પામે છે એનું કારણ કે પૂર્વે એ એને લાત મારીને આવ્યા છે; એમને એની ઇચ્છા સુધ્ધાં નહોતી. તીર્થંકરદેવને