SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ 1459 ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ - 98 ૨૭૧ આનંદમાં જ રહે છે, દુઃખ એને સુખ માટે આવે છે, અર્થકામ તો એના દાસ બનીને રહે છે, એનાથી એ દૂર જતા જ નથી; પરંતુ અર્થકામ માટે જો પ્રયત્ન માંડ્યો તો એ સફળ નહિ થાય અને સુખ નહિ મળે. મોક્ષ માટેના પ્રયત્નમાં પુરુષાર્થ નિયમા સફળ થશે અને મોક્ષ નહિ મળે ત્યાં સુધી દુઃખ આવવાનું નથી. અર્થકામ માટેનો પુરુષાર્થ સફળ નહિ થાય અને એમાં તકલીફ રહેવાની જ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે - “અર્થાનામર્નને પુરૂ- મનિતાનાં ચ રક્ષળે । સાથે દુ:Ü વ્યયે દુઃઘ-મર્થોડનનિવન્ધનમ્ ।" અર્થ : ધનનું ઉપાર્જન ક૨વામાં દુઃખ છે, ઉપાર્જિત ધનનું રક્ષણ કરવામાં દુઃખ છે, ધનના લાભમાં દુઃખ છે, નાશમાં દુઃખ છે; ખરેખર ! અર્થ અનર્થનું કારણ છે.’ ગુજરાતી ભાષામાં પણ એક કવિ કહે છે કે : ધન મેળવતાં દુ:ખ છે, સાચવતાં પણ દુ:ખ, જો આવેલું જાય તો, જાયે સમૂલું સુખ. ધન પેદા કરવામાં, એની ૨ક્ષા કરવામાં, એના ભોગવટામાં અને એના નાશમાં બધે દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. ધનની ઇચ્છા થઈ એટલે એ ન આવે ત્યાં સુધી દુ:ખ. આવે એટલે ક્ષણવાર આનંદ થાય. પણ પછી ક્યાં મૂકવું અને કેમ સાચવવું એની ચિંતા. એના ભોગવટામાં જરાક ત્રૂટી આવી એટલે દુઃખ. એ જાય તોયે દુઃખ અને એ ન જાય તોયે એની રક્ષા કરવા પાછળ દુઃખ. મુદ્દો એ છે કે ધન માટેની પ્રત્યેક અવસ્થામાં પરિણામે દુઃખ જ છે. અર્થકામની ઇચ્છાથી થયેલા ઉદ્યમથી અર્થકામ મળે જ એ નક્કી નથી. રૂપરંગમાં ભેદ પડે છે અને કોઈ કાળો કે કોઈ ધોળો, કોઈ દેખતો તો કોઈ કાણો કૂબડો એ બધું શું ઇચ્છાથી છે ? નહિ જ; કર્મની પરાધીનતાથી છે. જે ચીજો ઇચ્છાથી મળતી નથી. તેની ઇચ્છા થાય તો પરિણામે દુ:ખ આવે જ. પુરુષાર્થ તેમાં જ ક૨વો યોગ્ય છે કે જેથી ધારેલી ધારણા સફળ થાય; અને એવા પ્રયત્નમાં આજુબાજુની વસ્તુઓ તો સ્વયં આવી મળે છે. યોગ્યતા આવે એટલે કૈંક માણસો સલામ ભરતા થઈ જાય છે, એ સલામો ભરાવવા માટે જાહેરાતો આપવી પડતી નથી. દુનિયાના પદાર્થોની ઇચ્છા ખસી એટલે અર્થકામની સાહ્યબી તો એના ચરણોમાં આવેલી જ પડી છે. એ યોગ્યતા જ એવી છે. મોક્ષ માટે કરાયેલા પુરુષાર્થમાં એ શક્તિ છે કે એ મોક્ષ ન આપે ત્યાં સુધી એ પુરુષાર્થને કરનારા આત્મા પાસે દુન્યવી સુખસામગ્રી હાજર જ રાખે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy