SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ પુરુષાર્થ ગૌણ છે. અર્થકામ એકલા પુરુષાર્થથી નથી મળતા. મોક્ષ માટે પુરુષાર્થ પ્રધાન છે, બીજાં કારણો ગૌણ છે. બીજે બધે પુરુષાર્થ ગૌણ છે. 1452 નિગોદના વો નિગોદમાંથી બહાર નીકળે છે ત્યાં પુરુષાર્થ ક્યાં છે ? ભવિતવ્યતાના યોગે જ એ બહાર નીકળે છે. સમ્યગ્દષ્ટિ માટે ઉદ્યમની પ્રધાનતા છે. સમ્યગ્દષ્ટિ માર્ગનો જ્ઞાતા છે કારણ કે તેણે વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે, સંસાર અને મોક્ષનું સ્વરૂપ જાણ્યું છે, સંસાર આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરેલો છે અને એ છોડવામાં જ કલ્યાણ છે એમ એણે જાણ્યું છે, ઇંદ્રિયો વિકરાળ છે, મન ચંચળ છે, વિષયો ભયંકર છે એ પણ સમ્યગ્દષ્ટિ જાણે છે માટે એ સાવધ રહે જ અને આ બધાં મોક્ષના વિઘ્નોને ખસેડવાના પુરુષાર્થની એને માટે પ્રધાન આવશ્યકતા છે. જો એ ઉદ્યમની પ્રધાનતા માને તો જ આગળ વધી શકે. મળેલું છોડવામાં ભાગ્યનું કામ શું ? ભાગ્ય ૫૨ ભરોસો રાખીને બેસી રહેનારથી મુક્તિએ જંઈ શકાય જ નહિ. સંસાર અનાદિ અનંત છે, લાંબો પહોળો પાર વિનાનો છે, સ્થાન ઘણાં છે, યોનિ (ઉત્પત્તિસ્થાનો)નો સુમાર નથી, ગતિ-સ્થિતિ-આયુષ્ય આ બધું ભયંકર છે. આ બધી ભયંકરતાઓ સામે હોય ત્યારે કપાળે હાથ દઈને બેસી રહેનાર કાંઈ સાધી ન શકે. વિષયોની આસક્તિ એવી છે કે ભલભલાને કપાળે હાથ મુકાવે છે. ભલભલાઓ પણ વાતવાતમાં ભાગ્યની વાત જ આગળ કરે છે. પણ મળેલું છોડવું ત્યાં ભાગ્યનું કામ શું ? નહિ મળેલું નહિ ઇચ્છવું અને મળેલું છોડવું તેમાં ભાગ્યની જરૂર નથી. નહિ મળેલું મેળવવામાં તથા મળેલું સાચવવામાં ભાગ્યની જરૂર છે. ભાગ્ય અને પુરુષાર્થનો ભેદ સમજો : ઇચ્છેલું મળતું નથી અગર મળેલું સચવાતું નથી, ત્યાં ભાગ્યની વાત કરાય; પણ મળેલું મૂકવામાં અને નહિ મળેલું નહિ ઇચ્છવામાં ભાગ્યનો ખપ નથી. પુણ્યાનુબંધી-પુણ્યને પણ ઉપાદેય એટલા માટે જ માનવામાં આવે છે કે એ પુણ્યનો અધિકારી એ પુણ્યના વિપાકથી મળેલાં પૌદ્ગલિક સુખોને ભયંકર માને છે અને એનાથી સાવચેત રહે છે. સ્થિરા દૃષ્ટિમાં એ જ વાત આવે છે. પુણ્યયોગે મળેલી સામગ્રી પ્રત્યે પણ ત્યાં અભાવ હોય, શ્રી જિનપૂજનાદિ સાચા ભાવે ક્યારે થાય ? મોક્ષની ઇચ્છા થાય ત્યારે. એકલું મોક્ષનું ધ્યેય થયું એટલે ઉદ્યમ જોઈએ જ. વિના ઉદ્યમે કોઈ ઘસડીને ત્યાં લઈ જાય એવું નથી. દુનિયાની ચીજોને જે નાશવંત માને અને તેથી એ મેળવવાની જેને ઇચ્છા ન થાય, મળી હોય તે છોડવાની જેને ભાવના થાય તે જ આત્મા હૃદયપૂર્વક અહીં આવી શકે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy