SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ઃ પુરુષાર્થ અને પુણ્યની પ્રધાનતા ક્યાં ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૮, શનિવાર, તા. ૨૨-૩-૧૯૩૦, 97 • મોક્ષ માટે ઉદ્યમ પ્રધાન : મળેલું છોડવામાં ભાગ્યનું કામ શું ? • ભાગ્ય અને પુરુષાર્થનો ભેદ સમજો ! એકલો પુરુષાર્થ ફળતો હોય તો તે મોક્ષ માટેનો જ: દુનિયાની સાધના પુણાધીન છે : મહેનત રહી જાય અને લક્ષ્મી વહી જાય : • ડાહ્યો આદમી કયો ઉદ્યમ કરે ? : નબળા ધર્મ કરે અને સબળા રહી જાય : . • ગુણોની પ્રાપ્તિ ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમને આધીન છે : અહીં કર્મસામ્રાજ્ય છે, મોક્ષમાં એ નથી : • દુનિયાનો કાયદો ન્યારો : મોક્ષ માટે ઉધમ પ્રાધાનઃ અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂગિરિના સંતોષરૂપ નંદનવનનું વર્ણન કરી રહ્યા છે. એ સંતોષના સ્વરૂપને વિશેષ સ્પષ્ટ કરવા માટે આપણને ફરીને કૂટની વિચારણામાં આવવું પડ્યું છે. જેમ મેરૂના નંદનવનનો આનંદ દેવો અને વિદ્યાધરો જ લઈ શકે છે તેમ સંતોષનો સંપૂર્ણ આનંદ સાધુઓ જ લઈ શકે છે. અશુભ અધ્યવસાય ગયા વિના ચિત્ત ઊંચા (ઉત્તમ) બને નહિ. ઇંદ્રિયો તથા મનને દમે તેવા નિયમો વિના અશુભ અધ્યવસાય જાય નહિ. એ ગયા વિના શુભ અધ્યવસાય આવે નહિ અને એ આવ્યા વિના ચિત્ત શુદ્ધ બને નહિ; કારણ કે શુભ અધ્યવસાયથી કર્મક્ષય થાય છે અને કર્મક્ષય થવાથી ચિત્ત શુદ્ધ બને છે. ચિત્ત શુદ્ધ થયા વિના સૂત્રાર્થનું નિરંતર સ્મરણ થતું નથી અને એ સ્મરણ નિરંતર થાય નહિ ત્યાં સુધી ચિત્ત ઝળહળતાં બનતાં નથી. આ ન બને ત્યાં સુધી સંતોષરૂપી નંદનવનના આનંદની આશા નકામી. આપણે જોઈ ગયા કે પુરુષાર્થ કેવળ મોક્ષ માટે જરૂરી છે. અર્થકામ માટે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy