________________
૧૭ઃ પુરુષાર્થ અને પુણ્યની પ્રધાનતા ક્યાં ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૮, શનિવાર, તા. ૨૨-૩-૧૯૩૦,
97
• મોક્ષ માટે ઉદ્યમ પ્રધાન :
મળેલું છોડવામાં ભાગ્યનું કામ શું ? • ભાગ્ય અને પુરુષાર્થનો ભેદ સમજો !
એકલો પુરુષાર્થ ફળતો હોય તો તે મોક્ષ માટેનો જ: દુનિયાની સાધના પુણાધીન છે :
મહેનત રહી જાય અને લક્ષ્મી વહી જાય : • ડાહ્યો આદમી કયો ઉદ્યમ કરે ? :
નબળા ધર્મ કરે અને સબળા રહી જાય : . • ગુણોની પ્રાપ્તિ ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમને આધીન છે :
અહીં કર્મસામ્રાજ્ય છે, મોક્ષમાં એ નથી : • દુનિયાનો કાયદો ન્યારો :
મોક્ષ માટે ઉધમ પ્રાધાનઃ
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂગિરિના સંતોષરૂપ નંદનવનનું વર્ણન કરી રહ્યા છે. એ સંતોષના સ્વરૂપને વિશેષ સ્પષ્ટ કરવા માટે આપણને ફરીને કૂટની વિચારણામાં આવવું પડ્યું છે. જેમ મેરૂના નંદનવનનો આનંદ દેવો અને વિદ્યાધરો જ લઈ શકે છે તેમ સંતોષનો સંપૂર્ણ આનંદ સાધુઓ જ લઈ શકે છે. અશુભ અધ્યવસાય ગયા વિના ચિત્ત ઊંચા (ઉત્તમ) બને નહિ. ઇંદ્રિયો તથા મનને દમે તેવા નિયમો વિના અશુભ અધ્યવસાય જાય નહિ. એ ગયા વિના શુભ અધ્યવસાય આવે નહિ અને એ આવ્યા વિના ચિત્ત શુદ્ધ બને નહિ; કારણ કે શુભ અધ્યવસાયથી કર્મક્ષય થાય છે અને કર્મક્ષય થવાથી ચિત્ત શુદ્ધ બને છે. ચિત્ત શુદ્ધ થયા વિના સૂત્રાર્થનું નિરંતર સ્મરણ થતું નથી અને એ સ્મરણ નિરંતર થાય નહિ ત્યાં સુધી ચિત્ત ઝળહળતાં બનતાં નથી. આ ન બને ત્યાં સુધી સંતોષરૂપી નંદનવનના આનંદની આશા નકામી.
આપણે જોઈ ગયા કે પુરુષાર્થ કેવળ મોક્ષ માટે જરૂરી છે. અર્થકામ માટે