________________
૨૩૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1450
રજકણો ક્ષયરોગને હરે છે અને પેટ્રોલના ધુમાડા ક્ષયરોગને નોતરે છે, છતાં અજ્ઞાનના યોગે એનો ફેલાવો વધતો જાય છે.
જ્ઞાનીઓ કહે છે કે ઉદ્યમ કેવળ મોક્ષ માટે જ હોય. તીવ્રકર્મના ઉદય પણ મોક્ષ માટેના પ્રયત્નથી ટળી જાય છે. આપણા કરતાં ભગવાન મહાવીરદેવને અશુભ કર્મના ઉદય વધારે હતા તો પણ અડગ રહીને સહ્યા ને ?
સંતોષરૂપી નંદનવનના આનંદ વિષે શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે તે હવે પછી.