________________
૨૯૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ – – 1448 બંધ. જે સુખમાં આટલા સમાચાર પણ ભંગાણ પાડે તે સુખમાં કયો બેવકૂફ રાચે ? દુનિયાના નિષ્ણાત કારીગરોને બોલાવીને બેનમૂન બંગલો બંધાવ્યો હોય અને જેને જોતાં આંખો ધરાતી ન હોય, ત્યાં જ આવા સમાચાર આવે એટલે રસ ઊડી જાય અને મૂડ ખલાસ થઈ જાય. મનમાં ચિંતાનો કીડો સળવળવા માંડે પછી એ બંગલો જોવામાં પણ ચિત્ત લાગે નહીં. પુગલજન્ય સુખ આવે છે. સો મણ દૂધના ભાજનને પ્રાણનાશક બનાવવામાં વાર કેટલી ? વિષનો એક કણીઓ ભળ્યો એટલી જ વાર. આખા લાડવામાં ચાર ગાંગડી ગોળની આવી જાય તો ખાવાનો રસ માર્યો જાય. રસોઈમાં સહેજ મસાલામાં ફેરફાર થઈ ગયો હોય તો જમવાની મજા ઊડી જાય. પુદ્ગલના સુખની આ જ મહોકાણ છે. મોક્ષ માટે જ ઉધમ કરો:
મોક્ષ માટેનો પ્રયત્ન નિયમા ફળે. મોક્ષ ન મળે ત્યાં સુધી એ પ્રયત્ન એને સામગ્રી એવી આપે કે જરાય દુ:ખી થવા ન દે અને અંતે શાશ્વત સુખ આપે જ. માટે જ જ્ઞાનીઓ મોક્ષ માટે જ પ્રયત્ન કરવા ભલામણ અને આગ્રહ કરે છે. કહે છે કે-“જો શક્તિસંપન્ન હો અને ઉદ્યમ જ કરવો હોય તો મોક્ષ માટે જ ઉદ્યમ કરવાની અમારી ભલામણ છે, અમારો આગ્રહ છે.' અર્થકામ માટે પ્રયત્ન એ અશુભોદયનું કારણ છે. પોતાના હાથે જ પોતાના મોં પર મસી ચોપડવાનો એ પ્રયત્ન છે. જ્ઞાની કહે છે કે એદી બનો તો તમારું ભાગ્ય. પણ ઉદ્યમી બનો તો ઉદ્યમ એવો કરો કે અશાંતિ આવે જ નહિ. સજ્જન માટે અન્યને સુધારવામાં બહુ વાર પણ દુર્જન માટે બીજાને બગાડવામાં કાંઈ વાર જ નહિ, માટે દુનિયામાં દુર્જનને ફાવટ વધારે છે.
સભા: “ખરાબ ચીજ પણ સુધારે નહિ ?'
એવી ચીજ તો કોઈક જ. જેમ લૂણ ખારું છતાં રસોઈને સ્વાદિષ્ટ બનાવે. પણ તેય પ્રમાણમાં હોય તો. પ્રમાણાધિક થાય તો બગાડી મારે. સામાને સુધારવા જતાં પોતાનું ન બગડે એની કાળજી પહેલી રાખવાની. સુધારાય યોગ્યને, અયોગ્યને સુધારવાનો પ્રયત્ન કરવો જ નહિ. કારીગર સુથાર પણ થાંભલો બનાવે તે ગાંઠ વિનાના કાષ્ઠનો. ગાંઠવાળા કાષ્ઠ પર એ હથિયાર ચલાવે જ નહિ. એ સમજે કે એમ કરવામાં હથિયાર બુઠ્ઠાં થઈ જાય ને થાંભલો બને નહિ. જે હથિયાર કમાણીનાં સાધન છે તેને એ બુઠ્ઠાં કરે ? ન જ કરે. સાગરની એક છોળથી ગંગા ખારી થઈ જાય પણ લાખ ગંગા ભેળી થઈ