________________
1446
૨૫૮
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ પોલીસ-તપાસ આવે ત્યારે પસ્તાવો થાય તે વાત જુદી. એ પસ્તાવો પણ વસ્તુ ઉપાડ્યાનો નહિ પણ આ ધાડ ક્યાંથી આવી, તેનો હોય. આવી મનોદશાવાળા સાર ગ્રહણ કરે ? સ્વાર્થ હોય ત્યાં સુધી ગુણ ગાય અને સ્વાર્થ ન સરે તો ગાળો દે એવા પણ કૈંક જોયા છે. પાગલ બનીને પ્રશંસા કરનારા પાગલ બનીને ગાળો દેતા થઈ ગયા છે અને એવાને કહ્યું પણ છે કે “ભલા માણસ ! જે મોંએ પાન ચાવ્યાં તે મોંએ કોલસા ચાવતાં શરમ પણ નથી આવતી ?.લાલસા પોષાઈ ત્યાં સુધી સ્તુતિ અને પછી તરત ગાળ દેનારા તમે તે કાંઈ માણસ છો ?' એવાઓની ઢગલાબંધ ગાળો સાંભળી લીધી છે. એની નોંધ પણ રાખવાની ન હોય. કેવળ અર્થકામના રાણી અને ગુણ પ્રત્યે રાગનો છાંટો પણ નહિ ધરાવનારા ધર્મકથામાંથી પણ સાર નથી લેતા તો અર્થકામની કથામાંથી સાર શું લેવાના ? માટે જ્ઞાનીઓ અર્થકામની દેશનાનો પુરુષાર્થ કરતા જ નથી. પ્રશંસા પણ સાચી કરો, ભાટચારણ જેવી નહિ. '
એક વાત મારે તમને સમજાવવી ઘણી હોય છતાં સંજોગ ન જોવાથી મૌન રહું છું; કેમકે લાભ ન દેખાય ત્યારે ન કહું. તમે જેની પ્રશંસા કરો છો તે પણ સાચી નથી કરતા, ગુણ માનીને નથી કરતા; ગુણ દેખીને કરતા હોત તો હું રાજી થાત. તમારી ઇચ્છા પૂરી થતી હોય ત્યાં તમે ઢળી પડો તેવા છો. ગરજે ગમે તેને બાપ કહેવા તમે તૈયાર છો. ગરજે ગમે તેની પગચંપી કરતાં પણ તમે અચકાઓ તેવા નથી. બધા નંહિ, પણ મોટા ભાગની આ હાલત છે. એટલે તમારી પ્રશંસા પણ સાચી નહિ પરંતુ ભાટચારણના જેવી બની જાય છે.
શાસ્ત્રમાં એક કથા આવે છે. એક રાજાની રાણી હાથીના મહાવતમાં લુબ્ધ બની હતી. રાજા જ્યારે ઊંઘે ત્યારે રાણી છાનીમાની મહાવત પાસે જાય. મોડું થાય તો પેલો મહાવત સાંકળથી રાણીને મારે. મહાવતના હાથનો માર રાજાની રાણી ખાય, મહાવતની માફી માગે અને કરગરીને કહે કે-“શું કરું ! રાજા જાગતો હોય ત્યાં સુધી કેવી રીતે આવું ? મોડું થવામાં ગુનો મારો નથી પણ રાજાનો છે. જે મહાવત રાણીના નોકરના નોકરનો નોકર અને એનો પણ નોકર થવાને યોગ્ય નહિ, તેના હાથનો માર રાજાની રાણી શાથી ખાય ? કામની આધીનતાથી. તમે પણ એ રીતે અર્થકામ માટે જેની તેની પ્રશંસા અને ગુલામી કરી રહ્યા છો. ગુણ દેખીને ઢળતા હોત તો જરૂર રાજી થાત, કેમકે જૈનધર્મીની એ ફરજ છે કે જ્યાં ગુણ દેખે ત્યાં ઢળે, પ્રમોદ પામે, આનંદ અનુભવે. પણ જૈનધર્મી ઘેલા ન હોય, જેમ તેમ બોલ્યા જ ન કરે, એ તો