________________
૨૫૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ શુભ ઉતારવાં પડે અને એ ઉતાર્યા પછી પણ એ ઉદયમાં આવે ત્યાં સુધી રાહ જોવી પડે. શુભ કર્મો ઉદયમાં આવે ત્યારે જ અર્થકામ મળે. તે પણ ઉદયમાં આવે તો જ મળે પણ ઉદયમાં આવતાં પહેલાં જ જો વિખરાઈ જાય તો બાજી ખલાસ. ' મુક્તિ માટેના પ્રયત્નમાં તો બેયને કાઢવાની જે વાત છે. માટે તો સંથારા પોરસમાં સાધુ અને શ્રાવક રોજ બોલે છે કે –
संजोगमूला जीवेन, पत्ता दुःख परंपरा ।
तम्हा संजोग संबंध, सव्वं तिविहेण वोसिरियं ।। .. અર્થ “જીવે દુ:ખોની પરંપરા સંયોગના કારણે પ્રાપ્ત કરી છે. તેથી સર્વ પ્રકારના સંયોગ સંબંધને મન વચન કાયાથી વોસિરાવું છું..
દુ:ખ સંજોગથી જ થાય છે, પછી તે સંજોગ શુભ યા અશુભ ગમે તેવા હોય. શુભ પણ સારું ક્યારે ? મુક્તિ માટે એ મેળવે તો અથવા જે શુભ દ્વારા મુક્તિમાર્ગે આત્મા જાય તે શુભ સારું. કેવળ ઉદ્યમથી જો અર્થકામની પ્રાપ્તિ થતી હોત તો આ દુનિયામાં ઉદ્યમ કે ઉદ્યમીઓની ઓછપ નથી. એવા કૈક ઉદ્યમીઓને કપાળે હાથ મૂકવા પડે છે. મળેલા અર્થકામ છતે ઉદ્યમે ચાલ્યા પણ જાય છે અને કેંકને રોવું પડે છે. બુદ્ધિમાનની બુદ્ધિ પણ ત્યારે બહેર મારી જાય છે. એના ઉદ્યમમાં ઓછપ નહોતી, ખાવાની પણ ફુરસદ નહોતી. ચાર-ચાર મોટરો દોડતી હતી, એવા પણ ગઈકાલના કોટ્યાધિપતિ આજે નાદાર બની જાય છે, એ શું ? ઉદ્યમમાં ખામી ન હોય, મોટરમાં પેટ્રોલના કેન પણ સાથે રાખ્યા હોય કેમકે કેટલા માઈલની શેઠને મુસાફરી કરવાની હોય એ નક્કી નહિ અને એટલી દોડધામ છતાં દેવાળું આવે, એ શાથી ?
સભા: ‘ઉદ્યમ નિષ્ફળ જાય ?' હા-જરૂર જાય. આંખો ખુલ્લી રાખીને જુઓ તોય નજરે દેખાય તેમ છે. સભા: “પણ ક્યિા તો ફળવતી જ હોય ને ?”
હા. માટે જ એ ક્રિયા સ્વર્ગ કે નર્ક કંઈક તો ફળ આપે જ. એ નિષ્ફળ જાય જ નહિ. શ્રેષ્ઠતા કે દીનતા, આશાપૂર્તિ કે નિરાશા, શુભ કે અશુભ કાંઈક તો ફળ આપે જ. પથ્થર લઈને માથું ફોડે તો લોહી તો નીકળે જ, એ પણ નિષ્ફળ ન જાય. પ્રયત્ન કરતાં રોટલો મળે છતાં ખવાય નહિ એમ પણ બને.
સભા: ‘એ તો ફળનો ભોગવટો ભલે ન થયો પણ ફળ તો મળે ને ?” - ફળનો ભોગવટો ન મળે અને ફળ પણ ન મળે, એવુંયે બને. અર્થકામની પ્રાપ્તિ કેવળ ઉદ્યમાધીન નથી પણ ભાગ્યાધીન પણ છે. અશુભ કર્મના ઉદયથી