SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૩ - 142 પત્ની ખરી પણ ભોગને લાયક હોય તો, પતિ ખરો પણ સામગ્રી લાવી આપે તો, હેતુ વિના પ્રેમ સાચવનારા વિરલા; એવા હોય તે અપવાદ. ધર્મક્રિયાનું ધ્યેય મુક્તિઃ જૈનશાસનની દરેક યિામાં ધ્યેય મુક્તિનું છે. ઘરબાર, કુટુંબ પરિવાર, બંગલા બગીચા, વાડી વજીફા એ એકેય ધ્યેય નથી. વજકર્ષે વીતરાગ દેવ અને નિગ્રંથગુરુ સિવાય કોઈને ન નમવાનો અભિગ્રહ લીધો અને માલિક રાજાએ પોતાને નમવાનું કહેવરાવ્યું ત્યારે એણે શું કહ્યું? માલિક રાજાએ મહેતલ આપી હતી કે “કાં તો નમ, નહિ તો લડવા તૈયાર થા.” આ વખતે વજકર્ણને કાંઈ દીક્ષાની ભાવના ન હતી, એ સર્વવિરતિ તરફ એટલો ઢળ્યો નથી, ઇચ્છા છે છતાં પરિણામની તીવ્રતા નથી, તરત છૂટી શકે તેવું સામર્થ્ય નથી, વર્ષોલ્લાસ જાગ્યો નથી, તો પણ એણે કહેવરાવ્યું કે-“સ્વામી ! આપને નહિં નમવામાં મારી બહાદુરીનું અભિમાન કારણ નથી પણ વીતરાગદેવ અને નિગ્રંથ ગુરુ વિના કોઈને નહિ નમવાનો મારો ધાર્મિક નિયમ, એ જ કારણ છે, માટે એના વિના આપ જે જોઈએ તે માગો.' રાજ્ય જાય એની એને પરવા ન હતી પણ ધર્મ છોડવા એ તૈયાર ન હતો. આ રીતે રાજપાટ ઋદ્ધિસિદ્ધિ તમામ એ આ અવસરે છોડવાને તૈયાર હતો. જેટલા જૈન એ બધા દીક્ષા લઈ જ લે એ ન ભૂતો ન ભવિષ્યતિ', પણ જૈનશાસનની રક્ષા માટે પ્રસંગે બધું છોડવાને તો તૈયાર હોય જ. લક્ષ્મીનો ત્યાગ ન કરી શકે. મમત્વ ન.મૂકી શકે એ માન્યું પણ ધર્મીને જ્યારે લાગે કે અત્યારે લક્ષ્મી મૂકવામાં જ ધર્મનો ટકાવ છે, એ લક્ષ્મીને પંપાળવામાં ધર્મનો નાશ છે, ત્યારે ધર્મી લક્ષ્મીને ઠોકર મારે. -ત્યાં શાસનરસ નથી ? અર્થકામ કેવળ ઉદ્યમને આધીન નથી. મુખ્યત્વે ત્યાં ભાગ્યની પ્રધાનતા છે છતાં એ અર્થકામની પ્રાપ્તિ માટે બધું જ થાય છે. જે શરીરને ખૂબ સાચવવામાં આવે છે તેને પણ તડકામાં રખડાવાય છે. ત્યાં કશું સમજાવવું નથી પડતું. જો અર્થકામથી શાસનરસિક બનાવાતા હોત તો શ્રી જિનેશ્વરદેવ સમવસરણના કિલ્લાના કાંગરામાંથી એક એક રત્ન આપી બધાને શાસનરસિક બનાવત. પરંતુ પરમાત્માએ જોયું કે ત્યાં શાસનરસ નથી. વળી માનો કે ભગવાને રત્ન આપ્યું પણ લેનાર કમનશીબ હોય તો એ રત્ન એની પાસે રહે. નહિ, ઉપરથી એનાં હાડકાં ભંગાવે. ભગવાન તો સમવસરણમાં એને સાચવે અર્થાત્ ભગવાનના પ્રતાપે સમવસરણમાં એને કોઈ ન સતાવે પણ બહાર નીકળે ત્યાં એના જેવાં રત્નભૂખ્યા વરૂઓ ટાંપીને બેઠાં જ હોય, જે મારી મારીને એની
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy