SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ - 1440 ૨૫૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ ધાર્યું કામ થાય. સામાયિક માટે દેવો શ્રાવક કુળને ઇચ્છે, જ્યારે તમને એ કુળ મળ્યું છે છતાં તમે સામાયિકને આવતા ભવ માટે રાખો છો. સાધુપણાને પણ આવતા ભવ પર રાખો છો. એ જ સૂચવે છે કે તમને સાધુપણાની ઇચ્છા નથી. તમે સાધુ થઈ ન શકો એ બને પણ તમને ઇચ્છા ન હોય એ વાત મંજૂર નથી. ઇચ્છાવાળા સેંકડે એક ટકો પણ નથી. મને જેવું લાગે છે તેવું કહું છું, બાકી એકને બદલે દશ ટકા નીકળે તો રાજી થાઉં. તમારા હૃદયના કોઈ ખૂણામાં પણ એ ભાવના હોય તો હું રાજી. પણ એવા બહુ ઓછા નીકળશે. આંગળીના વેઢે ગણાય એટલા. જેમ જેમ સમય જાય છે તેમ તેમ એ ઇચ્છાનું પ્રમાણ અત્યારે તો ઘટતું જતું દેખાય છે. એમાં હવે પલટો આવે ને પ્રમાણ વધે તો વાત જુદી. કેટલાયે વ્રતધારી શ્રાવકો એવા જોયા છે કે જે એમ કહે કે છે કે-સાધુપણાની ઇચ્છા ન હોય એમાં વાંધો શો ? શ્રાવક તો છીએ ને ? એમને ખબર નથી કે સાધુપણાની ઇચ્છા વિના દેશવિરતિ હોઈ શકતી નથી. દેશવિરતિ શા માટે છે ? એ પણ એમને ખબર નથી. વ્રત, નિયમ, દાન, શીલ, તપ, ભાવ એ બધાના હેતુની પણ એમને ખબર નથી. ભાવના દાનની કે ખાવાની ? દાન શા માટે ? આજે દાનમાં મુક્તિનો હેતુ દેખાતો નથી પણ લાભનો હેતુ જ દૃષ્ટિગોચર થાય છે. જો મુક્તિનો હેતુ હોય તો તો મૂચ્છ છોડવાનું મન થાય. પાંચ આપે તોય એમ જ થાય કે “કમનસીબ છું કે પાંચ જ આપી શકું છું. પણ આજે તો પાંચ આપીને કહે છે કે-“પાંચ તો દીધા, હવે શું છે ? સમ્યગ્દષ્ટિની ભાષા તથા વર્તાવ જુદાં જ હોય. એ એવાં હોય કે જોનારને થાય કે “કાંઈક છે.” જેને એ દાન આપે તેના પણ પરિણામ બદલાય. ચિત્ત વિત્ત અને પાત્ર એ ત્રણેય શુદ્ધ એ ઊંચી કોટિનું સુપાત્રદાન. એ ત્રણેય પોલાં તો એ દાન પણ પોલું, માલ વગરનું, વખતે નુકસાન પણ કરે. પાત્ર ઉત્તમ હોય, દેવાની ચીજ નિર્દોષ હોય અને દાતાર મૂચ્છ વિનાનો હોય, એ ક્યારે બને એ આત્માને પૂછો. બારમા અતિથિસંવિભાગ વ્રતમાં એ નિયમ, કે મુનિને આપીને ખાવું અને મુનિ જે લે તે જ ખાવું. હવે એવા પણ આપનારા હોય છે કે જે મુનિને કહે છે કે “સોપારી પણ લો અને ચપટી બજર પણ લો. આપ ન લો તો મારું શું થાય ?' હવે આ ભાવના કઈ સમજવી ? દાનની કે પોતાને ખાવાની ? ધર્મક્રિયાના ધ્યેયમાંથી મુક્તિ ઊડી ગઈ છે. હૈયામાં મુક્તિ નથી પણ સંસાર બેઠો છે. “આ મળે ને તે મળે” એ જ વિચારો મનમાં રમ્યા કરે છે. તપસ્વીને પહેલા પારણા કરતાં બીજા પારણે મન ઉપર કાબૂ વધારે કેમ હોવો જોઈએ ? તપનો હેતુ સિદ્ધ કરવા. અમૃતક્યિા તો દૂર રહી પણ તહેતુક્યા તો જોઈએ ને ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy