SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ 139 – – ૧૦ : ઉધમ તો એકમાત્ર મોક્ષ માટે જ - 96 – – ૨૫૧ સભા: “શિક્ષણ એવું મળ્યું છે ?' શિક્ષણની વાત જવા દ્યો. શિક્ષણ તો સ્કૂલમાં રહ્યું પણ ઘરમાં શું ? ઘરમાંથી જૈનકુળના આચારો ખસવા લાગ્યા તેની આ બધી પંચાત છે. જૈન ઘરોમાં સવારના પહોરમાં જે ગુંજારવ થવા જોઈએ, જે જાપ થવા જોઈએ, જે કરણી થવી જોઈએ તે બધું અદૃશ્ય થવા લાગ્યું છે. “નમો અરિહંતાણં' કહીને ઊઠનાર કેટલા ? બહુ ઓછા. વ્યસની એવા કે-વ્યસનમાંથી પરવારે ત્યારે તો માંડ સ્કૂર્તિ આવે. સામાયિક, પ્રતિક્રમણ, નવકારવાળી કાંઈ જ ન મળે. વીસ-પચીસ માણસના કુટુંબમાં એક-બે પણ આવા આચારવાળા હોય તો બીજામાં છાયા પડે ને ?.આચારના યોગે વિચાર છે. પહેલાં ઉત્તમ આચાર આવે પછી જ ઉત્તમ વિચાર આવે. આગળ વધ્યા પછીની ભૂમિકાએ વિચારના યોગે આચાર આવશે પણ શરૂઆતમાં તો આચારના યોગે જ વિચાર. રૂટિથી પણ સારી ક્રિયાઓ થાયઃ . નાના બાળકને વિચાર ન હોય, સમય ન હોય, પણ દેખે તેવું કરે. પથારીમાં ઊઠતાં વડીલોને જે ક્રિયા કરતાં દેખે ત્યાં તરત એ દોરાય. બાપાજી સામાયિક-પડિક્કમણામાં બેસે એટલે બાળક પણ બેસતું થાય. એને કહેવું ન પડે. છોકરો નવો નવો પેઢી પર બેસે ત્યારે જૂઠું બોલતાં, ગ્રાહકને ઊઠાં ભણાવતાં કે આંખો મીંચી ઇશારે વાતો સમજાવતાં એને ન આવડે પણ બાપાજીને એ બધું કરતાં જુએ એટલે તરત શીખી લે; એ કળા શીખવાડવી ન પડે. પછી આંખના ઇશારાના હેતુ એ આપોઆપ સમજી જાય. જૂઠું નહીં બોલવું એમ કહેનારા પણ જૂઠું બોલવાથી એવા ટેવાઈ ગયા હોય છે કે પોતે જૂઠું બોલે છે એનું એને ભાન પણ નથી રહેતું. હાલતાં ચાલતાં અને વાતવાતમાં જૂઠું બોલે છે પણ એની એને ગમ જ નથી. દશા એવી આવી ગઈ છે કે સાચું બોલવું હોય તો વિચાર કરવો પડે; અનીતિ વિનાવિચારે થઈ જાય. જૈનકુળના આચાર તો એવા હોય કે વિનાવિચારે નીતિ જ થાય; સાચું જ બોલાય, સારી જ ક્રિયા થાય. ભાવના ન હોય તોયે ખેંચાઈને પણ મંદિરે જવાય. રૂઢિથી પણ આ બધી ક્રિયાઓ થાય. આજે તો અનીતિ, જૂઠ, પ્રપંચ આદિ રૂઢ થઈ ગયાં છે. સર્વવિરતિ પામવાના પરિણામ વિના દેશવિરતિ નથી ? શાસ્ત્ર કહે છે કે સમ્યગ્દષ્ટિ દેવતાઓ અને ઇન્દ્રો શ્રાવકકુળને ઝંખે છે. સામગ્રી તો તેમની પાસે ઘણી છે, ધારે ત્યારે જ્ઞાની પાસે જઈ શકે છે, શ્રી તીર્થંકરદેવોની દેશના એ સાંભળી શકે છે, છતાં એ શ્રાવકકુળને ઇચ્છે છે. કારણ કે ત્યાં દેવલોકમાં વિરતિ નથી માટે સમજે છે કે શ્રાવકનું કુળ મળે તો તે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy