SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 1194 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ લક્ષ્મી એ પણ ધર્મ, કૃતાધારે પત્ર' કે પત્રિાધા કૃતં ?” એના જેવો આ ન્યાય થયો. માટે શું ઉપાદેય અને શું હોય તે નક્કી કરો. લક્ષ્મી સાથે વિરોધ નથી. લક્ષ્મીથી ઘણા સાધી ગયા. લક્ષ્મીના નામ માત્રથી જ આપણે ભડકીએ તેવા નથી. પણ લક્ષ્મી ઉપાદેય માની મર્યા સમજવું. ભગવાનના વચન પ્રમાણે ત્યાં આપણે આખી ભીંત જ ભૂલીએ છીએ. કાયાનું બળ, લક્ષ્મીની વિપુલતા કે સામગ્રીના ઢગલા સાથે આપણને વૈમનસ્ય નથી. જે મળ્યું હોય તેનો લાભ લેવાય, તેનો સદુપયોગ કરાય પણ તે ઉપાદેય ન મનાય. એ ઉપાદેય માન્યું ત્યાં દિશા ભૂલ્યા, એમ શાસ્ત્ર ફરમાવે છે. લક્ષ્મી એ કાંઈ દાન ગુણને પેદા કરનારી કોઈ દિવ્ય શક્તિ નથી. ઉદારતાનું કારણ કાંઈ લક્ષ્મી નથી. લક્ષ્મી તો ભયંકર ચીજ છે. દાનગુણનો આધાર તો મૂચ્છના અભાવ પર છે. લક્ષ્મી અસાર લાગે તો દાનગુણ આવે. એ જ રીતે શીલનો આધાર પણ બળ પર નથી. ક્યારેક અબળા શીલ પાળે છે અને પુરુષ નથી પાળતા. સીતાજી જે શીલ પાળી શક્યાં તે રાવણ ન પાળી શક્યો. બળવાન કોણ ? તમે કહો છો તેમ કાયબળથી દૃષ્ટિએ તો રાવણ બળવાન ને ? રાવણે જે રીતે યુદ્ધ કર્યું તે રીતે સીતાજી કરવા ગયાં હોત તો ટકી શક્યાં હોત ખરાં ? માટે શરીરબળનો ઇન્કાર નથી. એ હોય તો હરકત નથી. ચરમશરીરી આત્મા બળવાન જ હોય. લઘુકર્મી આત્માઓ બળવાન જ હોય. જેની વાસનાઓ ઘટી, તે તેના યોગે ભાવિમાં બળવાન જ બનવાના. સભા: “રાવણને નિયમ હતો માટે બલાત્કાર ન કર્યો પણ બલાત્કાર કર્યો હોત તો સીતાજી શું કરત ?” -તો સીતાજી પ્રાણત્યાગ કરત. ત્યાં પ્રાણની કિંમત ન હતી, ધર્મની કિંમત હતી. ભગવાને ચારે પ્રકારનો ધર્મ કહ્યો. દાન, શીલ, તપ અને ભાવ. એ ચરે પ્રકારના ધર્મને પોદ્ગલિક પદાર્થો સાથે લેવાદેવા નથી. પદ્ગલિક પદાર્થો એમાં સહાયરૂપ બને પણ તેથી એ ઉપાદેય નથી. એ હોય તો એનો લાભ લેવાય પણ ન હોય તો લેવા જવાની ઇચ્છા ન રખાય. મુક્તિના રસિયાની આ વાત છે. શરીરના રસિયા ગમે તેમ કરે તેની સાથે આપણને સંબંધ નથી. મને આવીને કોઈ પૂછે કે “કસરત કરવી જોઈએ કે નહિ ? તો હું તો ના જ પાડું અને જો હું હા પાડું તો મારા મુનિપણાને કલંક લાગે. મુક્તિનો રસિયો આત્મા પુણ્યયોગે મળેલા પૌદ્ગલિક પદાર્થના સદુપયોગનો લાભ લે પણ ન હોય તો એને મેળવવાની મહેનતે ન કરે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy