________________
૨૪૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1432 સ્નેહની પૂજા ન કરો. સાચા સ્નેહીને શોધો. દંભના ફંદામાં ન ફસાઓ. એમાં ફસેલાં છુટી શકતા નથી. સાચા સ્નેહી તો જરૂર એકબીજાને ચેતવે. મોહને લઈને ઘણીવાર ન કહે તો પણ એકાદવાર તો ચેતવે જ. લગ્ન વખતે “આમાં કાંઈ સાર નથી' એવું એકાદ વાર તો હિતસ્વી મા-બાપ સંતાનને સંભળાવી જ દે. પોતાના સંતાનને તેમજ બીજા પણ પોતાના પરિચયમાં આવનારને એકાદ વાર પ્રભુમાર્ગ તરફ દોરવાનું, તે તરફ આંગળી ચીંધવાનું મન સાચા સ્નેહીને થઈ જ જાય. આજ એ શાથી નથી થતું? કારણ આગમ પાનામાં છે, હૈયામાં નથી માટે. સ્વભાવ ક્ષમા-૫ :
શાસ્ત્રના સ્મરણ વિના પણ જે આત્માને સહજપણે જ ગુસ્સો ન આવે, એ રીતે ક્ષમાથી ટેવાઈ ગયેલા આત્માની ક્ષમા એ સ્વભાવ ક્ષમા છે. શાસ્ત્રના સ્મરણની એને હવે જરૂર જ નથી. સ્વભાવ ક્ષમાવાળો આત્મા વચન ક્ષમાની આરાધનાના યોગે એવો જ ટેવાઈ ગયો હોય છે. અપ્રમત્ત ભાવમાં રહેલા શ્રી તીર્થંકરદેવ આદિના આત્માઓ પૂર્વની આરાધનાના યોગે એવા ટેવાઈ ગયા છે કે ગમે તેવા અપરાધી પ્રત્યે પણ એમના કઈ રૂંવાડેય રોષ પ્રગટતો નથી. કલ્પસૂત્રમાં સ્વભાવ ક્ષમાના સ્વામી પરમાત્મા શ્રી મહાવીરદેવને ઉદ્દેશીને કવિ કહે છે કે
“હે ભગવનું ! રોષ પણ તારાથી રોષ પામ્યો. ગુસ્સો પોતે તારી ઉપર ગુસ્સે થયો. એ વિચારે છે કે-“હું જોઈ રહ્યો છું કે-જે અપ્રતિમ બળના ધણી છે, જગતનો નાશ તથા રક્ષણ કરવામાં સમર્થ છે અને જેમની સામે સંગમ જેવો ભયંકર પાપાત્મા અપરાધી તરીકે ઊભો છે ત્યાં પણ આ મહાત્માની આંખમાંથી કરુણાનાં આંસુ વહે છે કે “આ બિચારાનું થશે શું?” તો આ હાલતમાં મારે અહીં રહીને હવે કરવું શું ? સંગમ જેવો આવા ઘોર ઉપસર્ગ કરે અને પોતે બળવાન છતાં મારો ઉપયોગ ન કરે તો હવે એમને મારો ખપ ક્યારે ? હું એમની પાસે રહ્યો પણ મારી તો અહીં કાંઈ કિંમત જ નથી. નબળા હોત તો તો મન વાળત કે શું કરે ? પણ આ તો સારાયે જગતનું રક્ષણ અને વિનાશ કરવામાં સમર્થ છતાં એના રૂંવાડે પણ રોષ નહિ તો મારે હવે અહીં રહેવું નકામું છે.” આમ વિચારીને રોષ પોતે ભગવાન પર રોષે ભરાઈને ચાલતો થયો.” આનું નામ
સ્વભાવ ક્ષમા. કેટલાયે ભવો સુધી વચન ક્ષમાનું પાલન કર્યું ત્યારે શ્રી જિનેશ્વરદેવ સ્વભાવ ક્ષમા પામ્યા. વચનાનુષ્ઠાનના વારંવાર પાલનથી જ નિ:સંગાનુષ્ઠાન આવે.