SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ 131 - ૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધા - 95 - ૨૪૩ શ્રી જૈન સંઘમાં રહેલી માતા કેવી હોય ? આગમ અને આગમની વાતો નહિ સાંભળનારી, નહિ સમજનારી આજની માતાઓ એવી છે કે જેને પોતાના કર્તવ્યની ખબર નથી અને કોઈ સમજાવે તો સમજવાની એટલી દરકાર પણ નથી. એવી માતાઓ મોટા ભાગે પોતાના સંતાનોનું અહિત જ કરે છે; મા હોવા છતાં શત્રુનું કામ કરે છે. માતા તો આર્યરક્ષિતની માતા જેવી જોઈએ. માતાને પોતાના સંતાનના આત્માની ચિંતા હોવી જોઈએ. એ પોતાના સંતાનને દૂધ પાય, ખવરાવે, નવરાવે, રમાડે પણ ચિંતા એક જ હોય કે એ બાળક પોતાની કૂખ લજવી દુર્ગતિમાં ન ચાલ્યું જાય. જૈનશાસનની માતાઓ દૂધ પાતાં પાતાંયે બાળકને શિક્ષણ એવું આપે કે એ સંસારમાં ન ભટકે. આવી માતાઓ થશે ત્યારે જૈનશાસનની જાહોજલાલી ઓર હશે. માતા, પિતા, પત્ની, સંતાન એ તમામે પરસ્પરના આત્માની ચિંતા કરવી જોઈએ. આજે તો બહુધા ખોખાંની જ ચિંતા થાય છે અને એ ચિંતા એવી થાય છે કે આત્માની ચિંતા એમાં અટવાઈ ગઈ છે. કૃત્રિમ સ્નેહની પૂજા ન કરો.” રૂપાળું બાળક રોગ થતાં કુદરૂપું બને એટલે એ જ માતાનો પ્રેમ એના પરથી ઊતરી જાય. હસમુખા અને રૂપાળાં બાળકને સૌ તેડે. રોતલ અને કદરૂપાં બાળકને કોઈ ન બોલાવે. પેલાને તેડે છે એમાં દેખાવ ભલે ઉપકારનો કરે પણ એ ઉપકાર નથી કરતો, એનું રૂપ ગમે છે, એનાં અંગોપાંગ કોમળ લાગે છે માટે તેડે છે. નાના બાળકનો બોજો પણ થોડો હોય. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ માતા પણ એને કેડે બેસાડવાનો મોહ ઘટાડતી જાય, કેમકે બોજો વધે છે. બાળક નાનું હોય ત્યારે વજનમાં હલકું અને એનાં અંગોપાંગ સુંવાળાં માટે તેડે છે ? કેટલાક તો પોતાનો શોખ પૂરો કરવા કે ઇચ્છાની તૃપ્તિ કરવા તેડે. કેવળ પરોપકાર માટે જ તેડે છે એવું ન માનવું. પોતાના બાળકને તેડનારી મા બીજાંના બાળક માટે ક્ષણનો પણ સમય આપવા તૈયાર નથી હોતી. આ રીતે નિર્દોષ બાળકને પણ જે સ્વાર્થ વિના ન સાચવે તે તમને સ્વાર્થ વિના જ રોટલા કરીને ખવડાવે છે એમ ? પણ તમે રાગાંધ અને વિષયાંધ બન્યા છો તેથી એને સાક્ષાત્ દેવી માની બેઠા છો. કયા દેવલોકથી આ દેવીઓ ઊતરી આવી છે તે કહેશો ? માટે કહું છું કે જરા સાવધ થાઓ. પતિ પત્નીને અને પત્ની પતિને પરસ્પર સાચી રીતે ઓળખો અને ઓળખાવો. સભા: ‘એમ કરવા જતાં તો ઘરમાં ધાંધલ મચી જશે.” બોલતાં આવડે તો ધાંધલ નહિ મચે. વિવેકપૂર્વક બોલતાં શીખો. કૃત્રિમ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy