________________
1427 ૧૫: શાસ્ત્રવચનની શ્રદ્ધા – 95 -
૨૩૯ પણ ન લેવાય,” એ રીતે ન લે તો તો એ ધર્મી ગણાય; પણ હાથમાં કડી પડવાના ભયથી પણ ન લે એવું બને. ચોરીને પાપ માનનાર તો તરત જ એ ચીજને પાછી કાઢે અને કડીના ભયથી ન લેનાર તો લઉં કે ન લઉં' એવો ઘણી વાર વિચાર કરે. કડીના ભયથી ન લે પણ ન દેખાય તો લઈ પણ લે. મુદ્દો એ છે કે ત્યાં ચોરીનો ભય નથી પણ કડીનો ભય છે. કડીનો ભય પણ કેદથી બચાવનાર તો છે જ પણ ચોરીના-પાપના ભય જેટલી એ ભયની કિંમત નથી.
આ રીતે વિપાકના ભયથી ક્ષમા રાખવી તે વિપાકક્ષમા; એ ક્ષમાધારીને પણ સમ્યક્ત હોઈ શકે. - વચન ક્ષમા – ૪ : '.
શાસ્ત્ર કહ્યું માટે જ ક્ષમાનું પાલન કરવું એ વચન ક્ષમા.” દરેક વાત શાસ્ત્રના કહ્યાથી જ કરે. શાસ્ત્ર નિષેધેલાનો ત્યાગ કરે અને શાસ્ત્ર વિહિત કર્યું હોય તેની આચરણા કરે. પોતાનો આત્મા શાસ્ત્રને જ સમર્પિત હોય. બીજાને યુક્તિ વગેરેથી બને તો સમજાવે પણ પોતાના આત્મામાં તો સમર્પણ વિના બીજી ભાવના જ નહિ. “કોઈ પૂછે કે અમુક કામ કેમ નથી કરતા ? અમુક કામ કેમ કરો છો ?” એનો જવાબ એક જ હોય કે શાસ્ત્ર ના કહેવાથી તે તે નથી કરતા અને શાસ્ત્રનું ફરમાન હોવાથી તે તે કરીએ છીએ. શાસ્ત્રથી વિપરીત વર્તવામાં લાભ બતાવે તોયે તે ન ઇચ્છે. કોઈ કહેશે કે “આમ કરો, નહિ તો મરી જશો તોયે ન ગભરાય. કહી દે કે અમારે તો ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું તે પ્રમાણ. એનાથી એક કદમ પણ વિરુદ્ધ ન જવાય. કોઈ ગાંડા કહે તો કબૂલી લે અને કહી દે કે ભલે અમે ગાંડા કહેવાઈએ પણ અમારું હિત શાસ્ત્ર મુજબ વર્તવામાં જ છે. બીજાને યુક્તિથી સમજાવે પણ પોતાનો આત્મા તો ત્યાં કોઈ હેતુ ન માગે. ઘણી વાતો એવી છે કે જ્યાં હેતુ ન હોય પણ ભગવાને કહ્યું તે જ સત્ય માનવાનું. ઘણા પદાર્થો માત્ર આગમગમ્ય છે, ત્યાં હેતુ ન હોય, હેતુ મળે નહિ અને હેતુ પુછાય જ નહિ.
સભા: “એવું એકાદ દૃષ્યત આપશો ?”
આઠ જવ પ્રમાણનો એક અંગુલ છે. એક અંગુલના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાતી નિગોદ છે. તેમાં એક નિગોદમાં અનંતા જીવો છે એમ શાસ્ત્ર કહ્યું. નિગોદ અસંખ્યાતી છે. કાળ અનંતો છે, એક એક નિગોદમાં જીવો અનંતા છે અને અનાદિથી અનંતકાળ સુધીમાં ગમે ત્યારે જ્ઞાનીને પુછાય કે કેટલા જીવો મુક્તિએ ગયા ? તો એનો જવાબ એક જ મળે કે-“એક નિગોદનો અનંતમો