________________
૨૩૪
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1422, ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને ત્યાર બાદ છેલ્લે સામર્થ્યયોગ આવે, ક્ષપકશ્રેણિ મંડાય અને કેવળજ્ઞાન પમાય. શાસ્ત્રયોગ એટલે શાસ્ત્ર કહે તે કરવું તે. ત્યાં પણ રાગ ટક્કર મારી દે. એ સમજાવી દે કે-“ભાઈ ! શાસ્ત્ર તો બધું કહે, એ કહેનારા તો બધા પરમ વિરાગી, એ કહે તે બધું આપણાથી થાય ? એ તો લોઢાના ચણા, એ ચાવવાનું તો એમનું જ કામ. આપણે તો એમને પગે લાગીએ.” શાસ્ત્ર કહે છે કે આમ કેટલોય કાળ અને કેટલાય ભવ સુધી શાસ્ત્રયોગ સેવે ત્યારે સામર્થ્યયોગ આવે. મનને આત્મા સમજાવે, મારી મારીને ઠેકાણે લાવે, વળી પાછું ભાગે અને વળી સમજાવે, વિષયના વિપાક સંભળાવે, નરકાદિ ગતિનાં વર્ણન કરે, સમજવીને પાછો વાળે, પાછો ભાંગે અને પાછો ફેરવે, એમ કેટલોય કાળ શાસ્ત્રયોગ સેવે ત્યારે સામર્થ્યયોગ આવે. બે પ્રકારનાં અનુષ્ઠાનઃ
ઉપાદેય અનુષ્ઠાન બે પ્રકારનાં છે. વચનાનુષ્ઠાન અને નિ:સંગાનુષ્ઠાન. શાસ્ત્રવચન અનુસારે અનુષ્ઠાન કરવું તે વચનાનુષ્ઠાન. એ વચનાનુષ્ઠાનના વારંવાર સેવન કરવાના પરિણામે તેના પરિપાકરૂપે સહજપણે થતું કોઈ પણ પ્રકારના સંગ વગરનું એક માત્ર મુક્તિના હેતુથી તન્મયપણે થતું અનુષ્ઠાન તે નિ:સંગાનુષ્ઠાન. ઘણા કાળ સુધી વચનાનુષ્ઠાન સેવે ત્યારે નિ:સંગાનુષ્ઠાન આવે. આજે વચનાનુષ્ઠાન પર ઘા છે, બધો હલ્લો એની જ સામે છે. વચનાનુષ્ઠાન સામે આજનો હલ્લો : * .
છછું ગુણઠાણે નિ:સંગાનુષ્ઠાન અંશે છે, સાતમે ગુણઠાણે બરાબર છે અને આગળ પૂરેપૂરું છે. જ્ઞાનીના વચનને આધીન થવાની વાત હોય ત્યાં વિકલ્પ ન કરાય પણ આજે તો આની સામે જ હલ્લો છે. વ્યવહારમાં પણ જ્યાં સુધી શેઠ ન બનાય ત્યાં સુધી શેઠની આધીનતા હોવી જોઈએ. આવડત ગમે તેટલી હોય પણ પોતાના નામે સોદો ન કરાય. શેઠના નામે જ સોદા થાય. ખોટ જાય તો ભરવાની તાકાત શેઠમાં છે, પોતાનામાં એ તાકાતનો અભાવ છે માટે જ માથા પર શેઠ સારો. એ રીતે નિ:સંગ દશા ન આવે ત્યાં સુધી વચનાનુષ્ઠાનનું સેવન કરવું જ જોઈએ. પાંચ પ્રકારની “ક્ષમા'નું ઉદાહરણઃ
આ વાત સમજવા માટે આપણે ક્ષમાના પાંચ પ્રકાર વિચારવાના છે. પાંચમા પ્રકારની ક્ષમા આવી ગયા પછી ભય નહિ. એ પાંચમી ક્ષમા તે “સ્વભાવ ક્ષમા' છે. એ પ્રાય: સાતમું ગુણસ્થાનક આવ્યા પછી આવે છે. છઠ્ઠા ગુણઠાણે