SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ 1421 ૧૫: શાસ્ત્રવચનની શ્રદ્ધ - 95 - ૨૩૩ છું. તમને ગમે તેવી વાત કરવા હું અહીં બેસતો જ નથી. તમને જે ગમે છે તે નહીં ગમાડવા માટે તો મારી આ બધી મહેનત છે. તમને સંસાર ગમે છે, મને એ નથી ગમતો, માટે તમારી પાસે છોડાવવાની મહેનત કરું છું. પાટે બેસું ત્યારથી જ સંસારને ખોટો કહેવાની શરૂઆત કરું છું. ભલે ધીમે બોલું કે ઊંચે અવાજે બોલું પણ ઇરાદો એક જ, તમને સંસારથી ખસેડવાનો. જેને આ વાત ગમે તે આવે. સંસારથી ખસવું ગમે તે ખસે. જેને એ ન પાલવે તેને માટે સંસારની શેરીઓ મોટી છે, ભલે ફર્યા કરે. આપણો તેમાં ઉપાય નથી. વ્યાખ્યાન સાંભળવા માત્રથી પણ ફાયદો કોને થાય ? એ આ ધ્યેય સમજીને આવે તેમને. બીજા ઇરાદે આવે તે તો જેમ જેમ આ સાંભળતા જાય તેમ તેમ રોષથી બળતા જાય. મારી તપના પારણાની આવી વાત સાંભળીને એ કહેશે કે-“આ સાધુને તો ઉપવાસનું પારણું પણ ખટકે છે !” સભાઃ “આવા વિચારના તો અહીં ઓછા હશે !' કબૂલ. બધા કાંઈ એવા ન હોય. પણ સાવ ન હોય એવું પણ નહિ. જે એવી ભાવનાથી આવ્યા હોય તેને તો લાગે પણ ખરું અને બોલે પણ ખરા કેવાતવાતમાં વિષયના ભોગની અને ખાનપાનની ટીકા મહારાજ કેમ કરે છે ?” સંસારરસિકોના બે-પાંચ ચોકીદાર તો આ સભામાં કાયમ એવા આવે જ કે જે કયા શબ્દો, ક્યારે અને કેવી રીતે બોલાય છે તેનું બરાબર ધ્યાન રાખે, કોઈ ન દેખે તે રીતે લખી લે, ન લખાય તેમ હોય તો મનમાં ગોખ્યા કરે. એ ગોખવામાં એવા ખોવાઈ જાય કે પછીનું કહેવાયેલું કાંઈ સાંભળે જ નહિ. બહાર જઈને પેલું ગોખેલું બોલે અથવા તો મીઠુંમરચું ભભરાવી ભળતી રીતે પ્રસિદ્ધ કરી કાંઈ નવાજૂની કરવાની એમની ભાવના હોય. ત્યાં સામે કોઈ પૂછે કે-“પણ પછી શું કહ્યું હતું તે તોં સંભળાવ' એટલે ત્યાં એ તરત પાછો પડે. દરેક કાળમાં એ કાયદો કે જ્યાં ત્યાગની વાતો હોય ત્યાં રાગને પોષવાની ભાવનાવાળાના દૂતો ગોઠવાઈ જ ગયા હોય. પ્રજાની સભામાં રાજ્યના જાસૂસો અને રાજ્યની સભામાં પ્રજાના જાસૂસો હોય છે. અહીં પણ સંસારનો અને સંસારના અભાવનો, રાગ તથા વિરાગનો સંગ્રામ ચાલુ જ છે. આત્મામાં પણ આંતરસંગ્રામ : આત્મામાં પણ એ જ આંતરસંગ્રામ ચાલુ છે. ત્યાં મોટે ભાગે રાગ જ જીતે છે. વૈરાગ્ય જ વારંવાર હારે છે. પાંચ-પચાસ વખતના યુદ્ધમાં કોઈકવાર રાગને જરા ટક્કર લાગે. એમ કરતાં કરતાં કેટલેક કાળે આત્મા બળવાન થાય ત્યારે વૈરાગ્ય જીત પર ચડે. આત્માની બળવત્તરના વધતી જાય તેમ તેમ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy