SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ 1420 ૨૩૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કહેનારો પણ ફળને જુએ છે. દરેક ચીજના સારને જોવો જોઈએ. તપનું ફળ કાંઈ પારણું છે ? ના. પૂજા કરી અને ‘ભવનિવ્રેઓ’-‘ભવનિર્વેદ’ની માગણી કરી આવ્યા પછી બહાર નીકળીને ભવરાર્ગનું કામ એવું ને એવું ચાલુ રાખો તો પૂજા ફળે ? એ તો યંત્રવત્ ક્રિયા થઈ. ચાવી ફેરવી ને રેકોર્ડ વાગી ગયા જેવું થયું. એમાં લાભ શો થયો ? દરેક ક્રિયાના સારને ન વિચારો, સમયે યાદ ન કરો તો ક્રિયા ફળે ક્યાંથી ? રસોઈ કે મીઠાઈ બની ગઈ તેથી શું વળે ? જમીએ ત્યારે જ તેનો સ્વાદ આવે. રસોઈ તૈયાર થઈ ગઈ ને કોઈના મરણનાં સમાચાર આવ્યા તો રસોઈ રસોઈના ઠેકાણે રહે. છત્રીસ કલાકના ઉપવાસ પછી પારણાની પાંચ-દશ મિનિટ ન સચવાય તો કેટલીક વખત લાભને બદલે ગેરલાભ વધી જાય. સવારથી જ ધાંધલ શરૂ થઈ જાય કે-‘મોં બગડી ગયું છે, માથું ચડી ગયું છે, તૃષા લાગી છે, આમ થાય છે ને તેમ થાય છે’ આવું કર્યા કરે તો ઉપવાસના ઉત્તમ ફળને હારી જવાય છે. ઉપવાસમાં આહા૨પાણી તજ્યા શા માટે ? નિરાહારી બનવા માટે. એને બદલે પારણામાં એવી ધમાધમ કરે અને એટલી તો ચીજો બનાવરાવે કૈ નિરાહારીપણું કયા ખૂણે છુપાઈ ગયું છે તે શોધવું પડે. હેતુ જ ભૂલી જવાય છે. ધ્યેયપૂર્વક તપ કરો : ધ્યેયપૂર્વક તપ ક૨વામાં આવે તો એક પછી એક એમ ઉપવાસો કરતાં પરિણામે એ ધૈર્ય આવે કે પછી પણ પહેલાંની જેમ ધમાધમ ન જ થાય. મોડું થાય તોયે કાંઈ ન બોલે. પહેલાં જેને પચીસ ચીજ જોઈતી હતી તે હવે કહી દે કે ‘જે હશે તે ચાલશે.' રસોઈમાં કાંઈ ફેરફાર હોય તો પણ બોલ્યા વિના જમી લે. ખામીની સૂચના કરે એ વાત જુદી પણ હવે થાળી તો ન જ પછાડે. પૌદ્ગલિક પદાર્થોની લાલસાથી આત્મા પાછો હઠે તો તપથી નિર્જરા થાય. આજે તો લાલસા એવી છે કે ભગવાનને પણ કહી દે કે-‘રોજ તારી સેવા કરું છતાં હજી મારી દશા આવી ને આવી રહી ! તારી સેવાનું કાંઈ ફળ નહિ ?’ ભગવાન પણ જો બોલતા હોત તો કહી દેત કે-‘ભાઈ ! રહેવા દે, મારે તારી સેવાની જરૂર નથી. બાકી હું કાંઈ તારો નોકર-ચાકર નથી કે તારી આવી સેવાના બદલામાં મારે તારાં બધાં કામ કરી આપવાં !' રાગ અને વિરાગનો સંગ્રામ ચાલુ જ છેઃ આવી સાચી વાતો હું સંભળાવું એટલે કહે છે કે-‘મહારાજ બહુ કડવું કહે છે.’ સાંભળનારને જરા અણગમતી વાત આવે એટલે-તરત ફરિયાદ આવે કે‘મહારાજ બધું વિરુદ્ધ જ કહે છે.' પણ વિરુદ્ધ કહેવા તો હું અહીં આ પાટે બેસું
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy