________________
૧૫ : શાસ્ત્રવચનની શ્રદ્ધા – 95
માગનાર ગમે ત્યારે આવે તો એને પૈસા આપવા જ પડે; કદી એકાદ દિવસનો વાયદો થાય પણ ‘જા, નથી આપતો', કહે એટલે શાહુકારપણું જાય. એમ ‘સંસાર નથી છૂટતો, અવસ૨ે છોડશું’ એમ કહે તો તો સંઘમાં નભે પણ ‘શાના છોડીએ ? શું છોડીએ તો જ ધર્મ થાય એવું થોડું છે ?' આવું બોલે અને સંઘ તરીકે પૂજાવા માગે એ ચાલે ? ન જ ચાલે. બધાને ‘બાપા’ કહેવડાવવાનું મન થાય પણ દુનિયાના દીકરાઓ કાંઈ એમ કહેવા બંધાયેલા થોડા છે ? કોઈ કહે કે ‘તારા બાપથી હું મોટો છું માટે મને બાપા કહે' તોયે પેલો કહી દે કે ‘ન કહું. હું તો મારા બાપને જ બાપ, માને જ મા અને ભાઈને જ ભાઈ કહેવાનો.' યોગ્ય રીતે માબાપ બનો; કાર્યવાહીથી પણ માબાપ જેવા બનો તો તો હજી ઠીક છે; પણ કાંઈ કર્યા વિના બાપ કહેવડાવવા ઇચ્છો, તો એમ કોઈ કહેવા તૈયાર થાય ? સંઘના આચાર પાળવા નથી, વનમાં ઉતારવા નથી અને સંઘ તરીકે પૂજાવું, એ કોઈ કાળે ન બને.
1419
૨૩૧
આહાર લેવો પણ સ્વાદ ન કરવો:
આ મહાપુરુષોની વાતોંથી તમારી લીલા ઊડી જાય છે. સૂત્રકાર મહર્ષિ ઝીણવટથી આ બધી વાતો સમજાવે છે. જૈનશાસન લીલાને તો દોષિવલાસ માને છે. લીલા પણ માણવી અને આત્મશુદ્ધિની વાતો કરવી એ બે વાતને મેળ નથી. જૈનશાસનના ત્યાગની વાત સાંભળી ઘણાંને તો તમ્મર આવે છે. આ શાસન કહે છે કે શરીર નભાવવા ખાવું પડે માટે આહાર લેવો પણ સ્વાદ ન ક૨વો. હવે તમને તો સ્વાદ વિના ગળે ઊતરે નહિ ત્યાં થાય શું ? તમે તો છત્રીસ કલાકનો ઉપવાસ ભલે કરો પણ પારણામાં કઈ હાલત ? પારણામાં તો સ્વાદની એવી ધાંધલ કે ઉપવાસ આખોયે એળે જતો રહે . ઇંદ્રિયનિગ્રહ માટે તો ઉપવાસ હતો. એ ઇંદ્રિયનિગ્રહ પારણામાં ક્યાંય સંતાઈ જાય ને સ્વાદની લાલસા ફાટી નીકળે. કોઈ આત્મા અંતરાયના ઉદયે તપ ન કરે તે નભે પણ જો ભોજન નિર્મમત્વભાવે કરે તો પણ એ તપસ્વી ગણાય. જ્યારે તમારું તો પારણું એવું, એમાં ધમાધમ એવી કે કદાચ ઉપવાસની કરેલી કમાણી ધૂળમાં મળે અને કોઈ વખત તો ઉપવાસથી મેળવેલા લાભ કરતાં પારણામાં થઈ ગયેલ હાનિનું પલ્લું નમી જાય.
દરેક ક્રિયાના સારને વિચારો
માનો કે અભ્યાસના યોગે કદી એમ થઈ પણ જાય પણ ધ્યેય કયું જોઈએ ? છત્રીસ કલાક ઉપવાસ થયો તો કલાક અરધો કલાક વધારે થઈ જાય ત્યાં ધાંધલ ન હોય; અને જો એમ કરે તો પછી છત્રીસ કલાકમાં મેળવ્યું શું ? વેપાર