________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
નહિ રહેવાના. આખર સુધી તે જ ઊભા રહેશે, જેને મન તથા ઇંદ્રિયો પર કાબૂ હશે.
૪
1192
ઇંદ્રિયો તથા મનને કાબૂમાં રાખે તે જ સાચો બળવાન :
લાખો સુભટો વચ્ચે રણમેદાનમાં ઝઝૂમવું સહેલું પણ સ્ત્રીના કટાક્ષો પાસે ટકવું મુશ્કેલ છે. એવા કંઈ પરાક્મીઓ પણ રૂપવતી સ્ત્રીને જોઈને પાગલ થઈ ગયા, રાજપાટ ગુમાવી તા૨ાજ થઈ ગયા, ન્યાયનીતિ ભૂલ્યા, રાજાપ્રજાનો સંબંધ ભૂલ્યા અને કર્તવ્યાકર્તવ્યનો વિચાર પણ ભૂલ્યા. એવાં બળ મળ્યાં તોયે શું અને ન મળ્યાં તોયે શું ?
કેવળ કૂદાકૂદ કરવાથી બળ મળે ? અને માનો કે કદાચ મળ્યું તો પણ એથી એનું મન શદ્ધ થયું ? બળવાનને વિકાર થાય કે નહિ.? ઇંદ્રિયો અને મનનું દમન થાય ક્યારે ? દમન કરવામાં બળ કારણ નથી પણ વિષયોની વિરક્તિ કારણ છે. સ્વપરનો વિવેક જાગે તો દમન થાય. હાનિક૨ અને લાભક૨ ચીજના ભાનથી દમન થાય. માતા, બહેન અને સ્ત્રીનો વિવેક કોણ રાખશે ? કહો કે ‘સયમી.’ વિષયાંધ બનેલો તો ત્રણેને સમાન રીતે જ જોશે. જેનાં ઇંદ્રિયો તથા મન કાબૂમાં છે તે કદી પણ અનુચિત આચરણા નહિ કરે.
સભા ‘નબળાને ગુસ્સો જલદી આવે છે. બળવાનને એટલો જલદી નથી આવતો, તેનું શું ?’
કયા બળવાનને નથી આવતો ! એ નક્કી’કરો. માટે તો ક્ષત્રિય શબ્દનો ગુણવાચક અર્થ કર્યો કે ‘નિર્બળને બચાવે તે ક્ષત્રિય.’ ત્યાં અલમસ્ત હોય કે કેવળ બળવાન હોય તે ક્ષત્રિય એવો અર્થ ન કર્યો. આજે તો સેંકડે પંચોતેર ટકા એવા છે કે જે નિર્બળને જ સતાવે છે. નબળાને બચાવનારા બળવાન બહુ થોડા. દુશ્મન પ્રત્યે પણ જેને ખરાબ ભાવના ન આવે એવા કેટલા ? આ શાસ્ત્ર તો ઇંદ્રિયો તથા મનને દમવાની વાત કરે છે જ્યારે આ પ્રશ્નકાર કેવળ શરીરબળને ખીલવવાની વાતને જ આગળ કરે છે. શરીર બળવાન બને અને મન ઇંદ્રિયો કાબૂમાં ન હોય તો પરિણામ શું ?
સભા બળવાન શરીર ઇંદ્રિયો તથા મનને બહેકાવે ?
મોટે ભાગે બહેકાવે. શ૨ી૨, ઇંદ્રિયો તથા મનને કાબૂમાં રાખવાં એ જ બળનો સદુપયોગ છે. પણ એવા બળવાન કેટલા ? બહેકી ગયેલી ઇંદ્રિયો તથા મન બળવાન શરીરનું પણ સત્યાનાશ વાળે છે. પૂર્વનાબાદશાહોના ઇતિહાસ જાણો છો ને ? લલનાઓમાં લંપટ બનેલા તેઓ સ્ત્રીઓના ટોળા વચ્ચે જ પડ્યા