________________
૧ : ગુરુઓને પણ ઓળખો - 81
પરંતુ મર્યા પછી આંખ કાંઈ હણાતી નથી તો પણ એ કામ કરે છે ? ન જ કરે. કેમકે એ પૌંતે તો જડ છે. એ બધાં તો સાધન છે. સાધન તરીકે ઉપયોગમાં પણ આવે છે. એકેંદ્રિય મુક્તિએ ન જઈ શકે. કેમ ? એ મૂર્તિ શી રીતે જુએ ? આગમ શી રીતે વાંચે ? કાન વિના એ સાંભળે કઈ રીતે ? પાંચે ઇંદ્રિયો અને મન મુક્તિ માટે જરૂરી છે એના વિના, મન વિના પણ મુક્તિએ ન જઈ શકાય. સંમૂચ્છિમ મનુષ્ય કે અસંજ્ઞી જીવો મુક્તિમાં જઈ શકતા નથી. મળેલી ચીજોને યોગ્ય મર્યાદામાં ગોઠવવી તે નિયમ. આજના લોકોને એ નિયમ જોઈતા નથી. આજે તો કોઈને ‘તું કઈ જ્ઞાતિનો ?' એમ પૂછીએ તે નથી ગમતું. એ કહે છે કે આ નાતજાતનાં બંધન શાં ? પરંતુ એ નાતજાતનાં બંધનથી તો માણસ મર્યાદામાં રહેતો. આજના સ્વતંત્રવાદીઓને મર્યાદા ખપતી નથી. એટલે નિયમો એમને ગમતા નથી.
1191
૩
જૈનસંઘમાં રહેનારને નિયમો વિના ન ચાલે. નિયમો વિના પરિણામની શુદ્ધિ ન થાય. સાધન વગર સિદ્ધિ ક્યાંથી થાય ? કક્કો ભણ્યા વિના વાંચતાલખતાં ન આવડે. માટે ઇંદ્રિયો તથા મન કાબૂમાં આવે એવા નિયમો જરૂરી છે. જો એ નિયમો નહિ હોય તો ઇંદ્રિયો તથા મન આત્માને ક્યાંય ખેંચી જશે. ભાનભૂલો બનાવશે. પછી મંદિર-ઉપાશ્રય યાદ નહિ રહે, દેવદ્રવ્ય તરફ આંખ ન થાય એ નહિ સમજાય. શ્રી જિનેશ્વ૨દેવની મૂર્તિ તા૨ક નહિ લાગે. સાધુ એ ધર્મગુરુ એવું ભાન નહિ રહે. ઇંદ્રિયો અને મન ઉપર અંકુશ નહિ મૂકો, એને વહેતાં મૂકશો તો મા-બેનનો વિવેક પણ ચુકાશે, વસ્તુ માત્ર પ્રત્યેનું ભાન ભુલાશે. શ્રાવક સાત વ્યસનનો સેવક હોય ? જો ન હોય તો નિયમ છે ? ઇંદ્રિયો અને મન ક્યાં ક્યાં ભટકે છે તે નક્કી કરો તો ઝટ નિયમનું મહત્ત્વ સમજાય. શ્રી જિનેશ્વરદેવના સંઘમાં રહેનારો ચાલે શી રીતે ? ચાલતાં ચાલતાં એની નજર જ્યાં ત્યાં ફરતી હોય ? જેને ચાલતાં, બેસતાં, ખાતાં, પીતાં ન આવડે તે જૈનસંઘમાં ગણાય ?
સભા : ` ‘શરીરની મજબૂતાઈ વિના ઇંદ્રિયો અને મન કાબૂમાં આવે ?’
શરીરને બગાડનાર જ ઇંદ્રિયો તથા મન છે. એના ૫૨ કાબૂ નથી માટે તો શરીર બગડે છે. ક્ષયના દર્દીને ડૉક્ટર પણ મન કાબૂમાં રાખવાનું કહે છે. ઇંદ્રિયો છૂટી મૂકવાથી તો ક્ષય થયો.
શરીર નબળું છતાં મનોબળ મજબૂત, એવા ઘણા જોયા છે. જાડા શરીરવાળાને પણ અવસરે નાસભાગ કરતા નથી જોયા ? જેમનાં મન તથા ઇંદ્રિયો દુનિયાના વિષયોમાં રક્ત છે તેઓ કદી કોઈ કામમાં ઠેઠ સુધી ઊભા