________________
1411
- ૧૪: ભદ્રતા છોડો, સંતોષ કેળવશે ! - 94
૨૨૩
ઘરના ભાઈ-બાઈને પણ તરત બધાં કામ પડતાં મૂકી સાથે ઓઢીને બેસી જવું પડે. આંખમાં પાણી ન આવે તોયે લાવવું પડે.
સાધુ પાસે દુ:ખી આવે ને સાધુ જ દુઃખની વાત માંડે તો પેલો વધુ દુ:ખી થાય ને તરત આંખમાં પાણી આવે. પણ જો મુનિ આવનારને તરત જ કહે કે‘ભાગ્યશાળી ! સંસાર તો દુ:ખમય જ છે.” આ સાંભળતાં પેલાને અર્ધી શાંતિ થાય. એ માને કે-“દુ:ખથી ભરેલા આ સંસારમાં તો એકાદ દુ:ખ જ છે, અથવા તો અમુક જ દુ:ખ છે.' એટલે મારી પાસે કોઈ રોતો આવે તો હું તેની સામે રોવા ન બેસું. દુ:ખીને સંસારની અસારતા સમજાવીને શાંતિ આપવી એ જ ભાવવેદ્યનો ગુણ છે. એને એ રીતે થયેલી અરધી શાંતિમાં ધર્મનું શરણ બતાવાય તો જરૂર યથાશક્ય તે સ્વીકારે. આ સંસારમાં બેકારી તો શાશ્વત છે :
આજે બેકારી નથી એમ હું કહું તો કેટલાકે મારી સામે ઘુરક્યિાં કરે અને કેટલાક મને ગાળો પણ દે. જો કે બેકારીની જેવી બૂમ છે તેવી બેકારી નથી એમ તો હું માનું જ છું. જ્યાં સુધી તમારા ખર્ચા કાયમ છે ત્યાં સુધી બેકારીની બૂમ ખોટી છે. પણ એ વાત બાજુએ રાખીને તમારી વાત માની લઉં કે બેકારી છે, તો પણ મારે તો એ જ સમજાવવું છે કે સંસાર બેકારીથી જ ભરેલ છે. બેકારી સંસારમાં ન હોય તો શું મોક્ષમાં હોય ? દરેક કાળમાં સુખશાંતિથી રોટલા ખાનાર કેટલા ? આ સંસારમાં બેકારી તો શાશ્વત છે. સંસારમાં ભયંકર બેકારી લાગી ત્યારે તો ચક્રવર્તીઓ મુકુટ ઉતારી ઉતારીને ચાલી નીકળ્યા. બેકારીનું મૂળ તપાસો!
જ્યાં બધાં જ ભૂખ્યાં હોય ત્યાં બેકારી કેમ ન હોય ? જ્યાં બધાને જ ઘીમાં ઝબોળીને રોટલી ખાવી હોય ત્યાં બેકારી કેમ ન હોય ? જ્યાં બધાને મોટર ગાડીઓ જોઈતી હોય ત્યાં બેકારી કેમ ન હોય ? જ્યાં બધાને જ ચાર શાક ને બે ફરસાણ ખાવાની લાલસા હોય ત્યાં બેકારી કેમ ન હોય ? બાકી લખી રાખો કે રોટલાની બેકારી દુનિયામાં છે જ નહિ. જો રોટલાની જ બેકારી હોત તો હિંદુસ્તાનની વસતિ બત્રીસ કેડથી ઘટતી નથી તેવું ન હોત. સોળ વર્ષથી હું ઓછેવત્તે અંશે આ બેકારીની બૂમ સાંભળ્યા કરું છું. પણ વસતિ તો એટલી ને એટલી જ છે. માટે બેકારી રોટલાની નથી પણ જીભની છે.
મારા શ્રી જિનેશ્વરદેવોએ નિર્ણય કર્યો છે કે સંસારમાં રૂલાવનારી અઢી આંગળની જીભ છે. શ્રીમંત અને ગરીબ બેયને બેકારી જીભની જ છે ! ગરીબ