SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ 1401 ૧૪.: ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો ! - 94 - ૨૧૩ ગયાં. તો શું એ બધા બહુ બળિયા હતા ? ભગવાનમાં તેમનો પ્રતિકાર કરવાની તાકાત ન હતી ? અનંત બળના ધણી હતા છતાં એ બધું સહન કેમ કર્યું ? એક જ માન્યતા કે-મારું બગાડનાર કોઈ જ નથી. એ બિચારા મારું શું બગાડવાના છે ? સિંહની ઉદારતા અને ઉત્તમતા એ એની મોટાઈનાં લક્ષણ છે ? શિયાળિયાંથી ડરે તેને સિહ કોણ કહે ? સિંહ ઊઠીને જો જંગલનાં નાનાં જનાવરો સાથે લડવા જાય તો સિંહ વહેલો મરી જાય, કારણ કે એવા જનાવરોનો પાર નથી. ચોવીસે કલાક સિંહને એ ધંધો ચાલુ રાખવો પડે તોયે જંગલ ખાલી ન થાય. સિંહ એ કામમાંથી નવરો પડે જ નહિ અને એમાં ને એમાં એ ખપી જાય. સંમૂચ્છિમ જીવો તો એવા કે જેમ મારો તેમ નવા પેદા થાય. શુદ્ર જંતુઓની ઉત્પત્તિ મોટી, સંખ્યા મોટી અને વિશાળતા ઘણી. ચોમાસાના એક જ વરસાદમાં અસંખ્ય અળશિયાં પેદા થઈ જાય. એને માબાપની જરૂર જ નહિ. હવે એવા જંતુઓને મારવાની પ્રવૃત્તિમાં સિંહ જો પડે તો એ રાજા તરીકે રહે ? મોટાં જાનવરો નાના જંતુઓ સાથે ધમાચકડીમાં પડે જ નહિ. પડે તો એ જુલ્મીમાં ખપે. પછી એ રક્ષક ન કહેવાય પણ રાક્ષસ કહેવાય. રક્ષક જાનવરોની તો ક્ષુદ્ર જંતુઓ પ્રત્યે દિલસોજી હોય. સિંહ તો માને કે મારી હયાતીમાં આ નાનાં પ્રાણીઓ કિલ્લોલ ન કરે તો પછી ક્યાં કરે ? કેમકે સિંહ જાગતો બેઠો હોય ત્યાં સુધી એ વનમાં બીજાં મોટાં જાનવર આવવાની હિંમત કરતાં નથી, એટલે નાનાં પ્રાણીઓ નિર્ભય હોય છે. માટે જ સિંહ એ વનનો રાજા કહેવાય છે; કેમકે નાનાઓનો એ રક્ષક છે. વાઘ, દીપડો, ચિત્તો વગેરે ક્રૂર છે તેથી એ રાજા નથી કહેવાતા. સિંહ ક્રૂર નથી પણ ઉદાર છે માટે એ રાજા કહેવાય છે. ચિત્તા વગેરે પાછળથી હુમલો કરે પણ સિંહ કદી પાછળથી હુમલો ન કરે. હાથીને દૂરથી જુએ એટલે એ ગર્જના કરે, પૂંછડું પછાડે, ચેતવે અને સામેથી તરાપ મારે અને તે પણ એના ગંડસ્થળ પર જ. ઉદારતા અને ઉત્તમતાને લઈને જાનવર પણ મોટાં કહેવાય છે. ડગલે ડગલે એની ભીતિ નહિ. એ આરામમાં પડ્યો હોય ત્યારે આદમી પાસેથી ચાલ્યો જાય તોયે એ આંખ પણ ઊંચી ન કરે. જેના તેના પર એ ગુસ્સો ન કરે. દરેકને મારી નાખવાની ભાવના એને ન હોય. બેઠાં બેઠાં માખીઓ તો કૂતરો જ મારે. એના પેટમાં માખી જાય તોયે એને ઊલટી ન થાય. માખીથી ઊલટી પણ સારા કોઠાવાળાને થાય. આ તો કોઠો જ એવો અધમ માખીમય કે ઊલટી પણ એનાથી નાસી જાય. માખી મારવાથી એનું પેટ કાંઈ ભરાતું નથી, એને કાંઈ લાભ થતો
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy