________________
1401
૧૪.: ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો ! - 94
-
૨૧૩
ગયાં. તો શું એ બધા બહુ બળિયા હતા ? ભગવાનમાં તેમનો પ્રતિકાર કરવાની તાકાત ન હતી ? અનંત બળના ધણી હતા છતાં એ બધું સહન કેમ કર્યું ? એક જ માન્યતા કે-મારું બગાડનાર કોઈ જ નથી. એ બિચારા મારું શું બગાડવાના છે ? સિંહની ઉદારતા અને ઉત્તમતા એ એની મોટાઈનાં લક્ષણ છે ?
શિયાળિયાંથી ડરે તેને સિહ કોણ કહે ? સિંહ ઊઠીને જો જંગલનાં નાનાં જનાવરો સાથે લડવા જાય તો સિંહ વહેલો મરી જાય, કારણ કે એવા જનાવરોનો પાર નથી. ચોવીસે કલાક સિંહને એ ધંધો ચાલુ રાખવો પડે તોયે જંગલ ખાલી ન થાય. સિંહ એ કામમાંથી નવરો પડે જ નહિ અને એમાં ને એમાં એ ખપી જાય. સંમૂચ્છિમ જીવો તો એવા કે જેમ મારો તેમ નવા પેદા થાય. શુદ્ર જંતુઓની ઉત્પત્તિ મોટી, સંખ્યા મોટી અને વિશાળતા ઘણી. ચોમાસાના એક જ વરસાદમાં અસંખ્ય અળશિયાં પેદા થઈ જાય. એને માબાપની જરૂર જ નહિ. હવે એવા જંતુઓને મારવાની પ્રવૃત્તિમાં સિંહ જો પડે તો એ રાજા તરીકે રહે ? મોટાં જાનવરો નાના જંતુઓ સાથે ધમાચકડીમાં પડે જ નહિ. પડે તો એ જુલ્મીમાં ખપે. પછી એ રક્ષક ન કહેવાય પણ રાક્ષસ કહેવાય. રક્ષક જાનવરોની તો ક્ષુદ્ર જંતુઓ પ્રત્યે દિલસોજી હોય. સિંહ તો માને કે મારી હયાતીમાં આ નાનાં પ્રાણીઓ કિલ્લોલ ન કરે તો પછી ક્યાં કરે ? કેમકે સિંહ જાગતો બેઠો હોય ત્યાં સુધી એ વનમાં બીજાં મોટાં જાનવર આવવાની હિંમત કરતાં નથી, એટલે નાનાં પ્રાણીઓ નિર્ભય હોય છે. માટે જ સિંહ એ વનનો રાજા કહેવાય છે; કેમકે નાનાઓનો એ રક્ષક છે. વાઘ, દીપડો, ચિત્તો વગેરે ક્રૂર છે તેથી એ રાજા નથી કહેવાતા. સિંહ ક્રૂર નથી પણ ઉદાર છે માટે એ રાજા કહેવાય છે. ચિત્તા વગેરે પાછળથી હુમલો કરે પણ સિંહ કદી પાછળથી હુમલો ન કરે. હાથીને દૂરથી જુએ એટલે એ ગર્જના કરે, પૂંછડું પછાડે, ચેતવે અને સામેથી તરાપ મારે અને તે પણ એના ગંડસ્થળ પર જ. ઉદારતા અને ઉત્તમતાને લઈને જાનવર પણ મોટાં કહેવાય છે. ડગલે ડગલે એની ભીતિ નહિ. એ આરામમાં પડ્યો હોય ત્યારે આદમી પાસેથી ચાલ્યો જાય તોયે એ આંખ પણ ઊંચી ન કરે. જેના તેના પર એ ગુસ્સો ન કરે. દરેકને મારી નાખવાની ભાવના એને ન હોય. બેઠાં બેઠાં માખીઓ તો કૂતરો જ મારે. એના પેટમાં માખી જાય તોયે એને ઊલટી ન થાય. માખીથી ઊલટી પણ સારા કોઠાવાળાને થાય. આ તો કોઠો જ એવો અધમ માખીમય કે ઊલટી પણ એનાથી નાસી જાય. માખી મારવાથી એનું પેટ કાંઈ ભરાતું નથી, એને કાંઈ લાભ થતો