SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1400 સમજાય તો શુદ્ર વિચારો દૂર ભાગે. સંઘનાં હૈયાં ક્ષુદ્ર વિચારોથી રહિત જ હોય. જ્યાં ક્ષુદ્ર વિચારોની પીંજણ ચાલે ત્યાં સંઘનાં કાર્ય સીદાયા વિના ન રહે. શ્રીસંઘ સામાન્ય રીતે તત્ત્વજ્ઞાની હોય ? આત્મકલ્યાણની ચિંતા કરનારાઓનો સમૂહ એનું જ નામ સંઘ. આત્મકલ્યાણની ચિંતા વિનાના જીવો સંઘમાં રહી શકતા નથી. એવા સંઘમાં આવા ફંદ હોય ? “તારું છોકરું આમ કરી ગયું ને તેમ બગાડી ગયું” આવી વાતો કરવી એ તો બાઈઓના ધંધા છે. શુદ્ર વિચારો શ્રી સંઘમાં રહેનારને આવે જ નહિ. શ્રી સંઘ સામાન્ય રીતે તત્ત્વજ્ઞાની હોય, તત્ત્વજ્ઞાનીના હૈયામાં અનર્થકર વિચારો આવે જ નહિ. અનર્થકર વિચાર તો દૂર રહ્યા પણ નકામા વિચારો પણ તેને ન આવે. કદી આત્મા સારી ભાવનાથી ખસી જાય અને નકામાં કે અનર્થકર વિચારો આવી જાય તો પણ તે વાણીથી બોલે તો નહિ જ; કદી કોઈ મૂર્ખના સંસર્ગથી બોલાઈ જાય તો પણ એ આચરણમાં તો ન જ આવે. આચરણમાં આવે તો તત્ત્વજ્ઞાન ટકી શકે નહિ અને અંતે નષ્ટ પામે. જેમ માણસ મોટો તેમ ગંભીર વધારે : " પ્રભુના શાસનને માનનારો શ્રી સંઘ તત્ત્વનો અજાણ ન હોય. ભલે વિસ્તારથી, ભેદ-પ્રભેદ વગેરેથી ઊંડું જ્ઞાન કદાચ ન ધરાવે; પરન્તુ ઓઘ રીતે તો જાણે જ કે-સંસાર અસાર છે, પુણ્ય-પાપ છે, તેનાં પરિણામ સ્વર્ગ-નરકાદિ પણ છે; વગેરે. આવા સંઘના હૈયામાં ક્ષુદ્ર વિચારોની ઘટમાળ ચાલતી હોય એ કમનશીબી છે. એના યોગે જ સંઘ પોતાનું સ્થાન ગુમાવતો જાય છે. દુનિયામાં જેમ માણસ મોટો તેમ તેનામાં ગંભીરતા વધારે. એવી રીતે અહીં પણ મોટાઈના પ્રમાણમાં ગંભીરતા વધતી જવી જોઈએ. ઇંદ્રિયો તથા મનમાં શુદ્ર વિચારોરૂપી હડકવા ન જોઈએ. કોઈ પોતાનું બગાડનાર છે એમ એ ન માને. એ તો એમ જ વિચારે કે “એ બોલે છે તો એની પાછળ કાંઈક હેતુ હશે પણ એથી મારું કાંઈ બગડતું નથી.' કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા એક સ્થાને ફરમાવે છે કેઆપણને કોઈ જો ખરાબ કહે તો પ્રભુશાસનમાં રહેલો વિચારે કે એ જે કહે છે તે સાચું છે કે ખોટું ? જો મારામાં એ કહે છે તેવી ખરાબી હોય તો મારે સુધરવું જોઈએ અને જો એવું ન હોય તો એવી ખોટી વાત કરનારા બેજવાબદારની કિંમત શી ? “ભગવાન મહાવીરદેવને ગોવાળિયા હેરાન કરી ગયા, એકે પગમાં ખીર રાંધી તો બીજો કાનમાં ખીલા ઠોકી ગયો, જંગલમાં જાનવરો ત્રાસ આપી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy