________________
1999
- ૧૪ : ક્ષતા છો, સંતોષ કેળવો- 94 - - ૨૧૧ ચાંદ લગાડીને ફરવામાં ડહાપણ નથી. જરૂર, આપણા માટે શ્રી જિનેશ્વરદેવ તારક, ઉપકારક, ઉદ્ધારક એ બધું ખરું પણ તેઓ કદી એમ ન કહે કે-“અમે તમારા તારક.” જૈનશાસનની ખૂબી જ આ છે. આ શાસનના કાયદા જ સુંદર છે. શિષ્યની ફરજ ભક્તિ માગવાની ખરી પણ ભક્તિના પાત્રથી તેને એવું ન પુછાય કે-તે ભક્તિ કેમ ન કરી ? વસ્તુનું વર્ણન બધું થાય પણ એ વર્ણન કરતાં હૈયામાં પોતાના માટે ભક્તિની વાસના ન આવે. સામાના ભલા માટે બધું કહેવાય પણ પોતાના ઉત્કર્ષ માટે કશું ન કહેવાય.
સભા: “વાંદવા ન વાંદવાના પ્રશ્નમાં શું સમજવું ?”
વંદનના પ્રશ્ન તો વિધિવિધાન તથા સાંભોગિક-અસાંભોગિક માંડલીના વિચાર કરવા પડશે. એમાં ઘણા હેતુ છે. સમજદાર હોય તે એ સમજી શકે. પૂ. ઉપાધ્યાજી મહારાજા ફરમાવે છે કે જેઓ આ બધાં વિધિવિધાન અને માંડલીના સાંભોગિક-અસાંભોગિક વ્યવહાર આદિ ન માને, ન સમજે તે અજ્ઞાન છે. શું બોલાય અને શું મનાય તે સમજો
આપણો મુદ્દો એ છે કે સંઘનું ચિત્ત છીછરું ન હોય, ક્ષુદ્ર ન હોય. કોઈ સારું કામ આવે ત્યાં “અમુકે શું કર્યું ?” એમ એના મનમાં ન આવે. નાનો આવીને કહે અને સારું લાગે તો અમે એની વાત સ્વીકારી લઈએ પણ તેથી એનાથી એમ ન કહેવાય કે હું શિખામણ દેવા આવ્યો હતો અને મહારાજે મારી શિખામણ માની.” તમે આવીને વાતો કરો ત્યારે નાનામાં કાંઈ બુદ્ધિ જ ન હોય એમ અમે ન માનીએ પણ શિખામણ દેવા આવ્યાની ડંફાશ તમારાથી પણ ન મરાય. નાનાએ આપેલી ચીજ મોટો સ્વીકારી લે પણ પોતે આપવા આવ્યાનો ડોળ નાનાથી ન કરાય. નાના મોટાને પાટલે બેસાડી જમાડે તેમ છતાં મેં એમને જમાડ્યા એમ ન કહે, ભક્તિ કરી એમ કહે. શેઠિયો ફૂલનો હાર રાજાને પહેરાવે અને અહોભાગ્ય પોતાનું માને. હાર તો રાજા પહેરે છે અને અહોભાગ્ય પહેરાવનાર પોતાનું માને છે. મોટો માણસ નાનાનો હાથ પકડે ત્યાં પણ નાનો એમ માને કે કેટલી મારા પર મહેરબાની ?' આમ મોટાને હાર પહેરાવાય અને મોટો હાથ પકડે ત્યાં બંને જગ્યાએ નાનો જ પોતાનું અહોભાગ્ય માને છે.
મુદ્દો એ છે કે વ્યવહારમાં જે સેવ્ય-સેવકભાવનો વિવેક છે તે અહીં આવ્યો નથી. એ નથી માટે સંઘત્વહીનતા દેખાય છે. વ્યવહારમાં તો તમે બધું બરાબર સમજ્યા છો. ત્યાં લક્ષાધિપતિ હોય તે ભલે શેઠ કહેવાય પણ એને પણ પોતાના શેઠને “શેઠ સાહેબ” કહેવા જ પડે. એમ કહી કહીને જીભ સૂકવવી જ પડે. ત્યાં પ્રત્યક્ષ સ્વાર્થ દેખાય છે જ્યારે અહીંનો સ્વાર્થ હૈયામાં સમજાયો નથી. એ