________________
૨૧૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
નથી, પરંતુ વગર લાભની ક્રિયા જો એ ન કરે તો એ અધમ કહેવાય શી રીતે ? પોતાનું પેટ ભરાય નહીં અને સામાના પ્રાણ જાય એ કામ તો અધમનું જ હોય. વાલીમુનિએ રાવણને શિક્ષા કેમ કરી ?
સંઘના વિચારો એવા ક્ષુદ્ર ન હોય. જ્યાં ક્ષુદ્ર વિચારો છે ત્યાં પ્રભુનું શાસન નથી એવું શાસ્ત્રો ભારપૂર્વક કહે છે. ‘મને જિનેશ્વરદેવના વચન પર પૂરી શ્રદ્ધા છે' એમ બોલનારના ક્ષુદ્ર વિચારો કેમ મટતા નથી ? ‘ફલાણાએ મને ગાળ કેમ દીધી ?' એવી ફરિયાદ કરવાની એને હોય ? એ તો સમજે કે એ બોલ્યો તો એને ભારે. આ વાત જાત માટે છે. શાસ્ત્ર પર આક્રમણ કરનારા તો સર્વથા પાપી છે; જ્યારે આપણા પર આક્રમણ થાય છે તેમાં તો આપણો પણ હિસ્સો છે. આપણા પૂર્વકર્મનો ઉદય બેઠો જ છે. એ વેઠવામાં-એ સહન કરી લેવામાં આપણા આત્માનું તો કલ્યાણ જ છે; અને શાસ્ત્ર પરના આક્રમણમાં આપણા આત્મકલ્યાણનો નાશ છે.
1402
વાલીમુનિને સીધો જ જો`રાવણ મારવા આવ્યો હોત તો એ મહાત્મા તેનો કાંઈ પણ પ્રતિકાર ન કરત, કારણ કે તેઓ પોતાના શરીરમાં તદ્દન નિ:સ્પૃહ હતા; પણ આણે તો આખો અષ્ટાપદ પર્વત મૂળમાંથી ઉપાડવાનો પ્રયત્ન આરંભ્યો. એમાં તો મહાત્માએ અનેક જીવોની ભયંકર હિંસા અને તીર્થનો નાશ થતો જોઈને એના નિવારણ માટે ધ્યાનને પણ મૂકીને એને શિક્ષા કરી. વાલીમુનિ વિચારે છે કે રાવણને વેર તો મારા ૫૨, એમાં આ તીર્થે એનું શું બગાડ્યું ?
શાસ્ત્રને કે મંદિરને અશુભોદય નથી. શુભોદય અને અશુભોદય તો આપણને છે. માનો કે આપણા અશુભોદય વિના પણ સામો આત્મા ધર્મનો વૈરી જ છે અને ધર્મીને કનડે જ છે તો એ રીતે કનડતો હોય તે વેઠવામાં પણ આપણું તો કલ્યાણ જ છે.
ધર્મી મેલો નભાવાય પણ ધર્મ મેલો ન નભાવાય :
ધર્મ અને ધર્મીમાં ફરક છે. ધર્મી મેલો નભાવાય પણ ધર્મ મેલો ન નભાવાય, રોગીને ઘેર લાવી ખવડાવવામાં વાંધો નહિ. લોક દયાળુ કહેશે પણ રોગજનક વસ્તુ ન ખવડાવાય. એ ખવડાવાથી તો રાજ્ય સારું હોય તો સજા થાય. ધર્મીમાં ખામી નભે પણ ધર્મમાં ખામી ન જોઈએ. આપણામાં કોઈ ખામીની વાત કરે તો ગમ ખાવી પણ ધર્મમાં ખામી બતાવે તો એને જરૂર પકડવો. ધર્મના આધારે જ તમારું અને અમારું એમ ઉભયનું કલ્યાણ છે. ઝેર