SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ - 15 સંતોષનો આધાર ચિત્તની પરિણતિઃ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂના સંતોષરૂપ નંદનવનનું હવે વર્ણન કરે છે. મેરૂના નંદનવનનો આનંદ જેમ દેવો તથા વિદ્યાધરો જ અનુભવી શકે છે તેમ શ્રી સંઘરૂપે મેરૂના સંતોષરૂપ નંદનવનનો સંપૂર્ણ આનંદ તો સાધુઓ જ મેળવી શકે છે. એ સંતોષની વિચારણા કરતાં જરૂરી આપણે ચિત્તની વિચારણામાં આવવું પડે છે કેમકે એ બધાની પરસ્પર સંકલના છે. બધે વસ્તુ તો એક જ છે. શ્રી સંઘરૂપ મેરૂનાં ચિત્તરૂપી કૂટો નિયમરૂપી સુવર્ણશિલાતલ પર ગોઠવાયાં છે. નિયમ તે છે કે જેનાથી ઇંદ્રિયો તથા મનનું દમન થાય. એવા નિયમરૂપી સુવર્ણશિલાતલ પર ગોઠવાય ત્યારે સંઘનાં ચિત્તો ઊંચા (ઉત્તમ-આધ્યાત્મિક) બને છે ! શ્રી સંઘનાં ચિત્તો કદી અધમ, લાલસાવાળાં, તુચ્છ ઇચ્છાઓવાળાં ન હોય. એ ચિત્તો ક્ષુદ્ર પણ ન હોય. શ્રી સંઘના ચિત્તમાં દરેકના ભલાની જ ભાવના હોય પણ કોઈના બૂરાની ભાવના ન હોય. “કાલે તે મને આમ કહ્યું હતું, ને પરમદિવસે તેમ કહ્યું હતું” એવા વિચારો શુદ્ર લોકોને આવે. એ દુર્ગાન છે. શ્રી સંઘનાં ચિત્તો એવા દુર્ગાનથી પર હોય છે. શ્રી સંઘના ચિત્તમાં શુદ્ધતાને અવકાશ નથી ? સિંહ જંગલનો રાજા કહેવાય છે. વનરાજના નામે એ ઓળખાય છે. નાનાં પ્રાણીઓ પર એ કદી તરાપ મારતો નથી. હાથી એની પાસે આવતાં ગભરાય પણ શુદ્ર જીવો તરફ તો આંખ ઊંચી કરીને દૃષ્ટિ પણ એ કરતો નથી. એને કોઈનો ભય નથી. હજારો ક્ષુદ્ર પ્રાણીઓ ચારે તરફ ફરતાં હોય પણ એ સદા નિર્ભય હોય છે. ક્ષુદ્ર જંતુઓની દોડાદોડીથી ગભરાય તો એ રાજા શાનો ? જેને શુદ્ર જંતુઓની ચિંતા નથી તેને શુદ્ર વિચારો પણ સતાવતા નથી. અહીં પણ જે શુદ્ર ચિંતાઓમાં પડે તે આગમને તથા એના માર્ગને ભૂલે. રાજ્યનું રક્ષણ કરી રહેલા રાજાની પ્રવૃત્તિ તરફ દૃષ્ટિ જ નથી હોતી. એ સમજે છે કે પામરો માટે તો આંખનું પોપચું ઊંચું કર્યું કે બસ ! એ ચૂપ થઈ બેસી જવાના. સિંહની એક ત્રાડથી જંગલનાં તમામ જાનવરો ન માલૂમ ક્યાં છુપાઈ જાય છે. એની ત્રાડથી હાથી જેવા પણ ભાગે તો અન્ય ક્ષુદ્ર જંતુઓનું તો પૂછવું જ શું ? પોતાના બળ પર એ મુસ્તાક છે તેથી ક્ષુદ્ર વિચારો અને આવતા જ નથી. જંગલી જાનવરોમાં પણ જે મોટા કહેવાય છે તેનામાં આ ગુણ છે. ક્રૂરતાને લઈને એ મોટા નથી કહેવાતા પણ આ ગુણને કારણે એ મોટા કહેવાય છે. એનામાં ક્રૂરતા છે પણ તેનો ઉપયોગ એ સ્થાને જ કરે છે, જ્યાં ત્યાં નથી કરતો. ભૂખ્યો ન થાય ત્યાં
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy