________________
1394
૨૦૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ નથી. ધર્મની વાત આવે ત્યાં અધર્મીને પોતાનો નંબર ગયો એમ જ લાગે. શાળામાં ઊંચા નંબરનો રસિયો વિદ્યાર્થી તો વાંચીને ગયો હોય તોયે ગભરાય કે કોણ જાણે શું પૂછશે ! નહિ આવડે ને નંબર જશે તો ! ઠોઠ વિદ્યાર્થીને નંબરની પરવા ન હોય. એ તો કહેશે કે-ડાબેથી જમણે જવું છે જ કોને ? પૂછનાર શિક્ષકને પણ થકવીએ નહિ તો અમે વિદ્યાર્થી શાના ?
સભા: “આજે તો માસ્તર મારે તો એ એમનો ગુનો ગણાય છે.? .
નઠોર વિદ્યાર્થીનો એ ગુણ છે કે એ એમ જ બોલવાના અને તો જ એમનું મનસ્વી વર્તન એ ચલાવી શકે. હૈયાથી ભૂલેલાને સમજાવાય પણ ભાડૂતીને ન સમજાવી શકાય.
પ્રભુશાસનના સંતોષરૂપ નંદનવનની સહેલ કરવા ઇચ્છનારે ઉપરની બધી વાતો સમજી વિચારી તેને અનુરૂપ વર્તન માટે તૈયારી કરવી પડશેએ વિષયમાં વધુ હવે પછી.